fbpx
ગુજરાત

પોરબંદર ખાતે શિક્ષા અધિકાર સંમેલનમાં NSUIના પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનો રહ્યાં હાજર

પોરબંદર એનએસયુઆઈ હંમેશા વિદ્યાર્થીઓના પ્રશ્નને લઇને સક્રિય ભૂમિકા ભજવતું આવ્યું છે. નાના-મોટા પ્રશ્ને હંમેશા શાળા-કોલેજના વિદ્યાર્થી માટે આક્રમક મૂડમાં હોય છે. સેવાકીય પ્રવૃત્તિમાં પણ અગ્રેસર રહી સતત કાર્યશીલ દાખવતું પોરબંદર જિલ્લા એનએસયુઆઈનું સંગઠન છે. ગુજરાત કોગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિત એનએસયુઆઇ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સાથે ગુજરાત એનએસયુઆઇના આગેવાનો અને કાર્યકર્તાઓની હાજરીમાં શિક્ષા અધિકાર સંમેલન યોજાયું હતું. હાલ રાજ્યમા શિક્ષણનું દિવસે-દિવસે ખાનગીકરણ તેમજ શિક્ષણ માફીયાઓને રાજ્ય સરકાર દ્વારા બેફામ ફી વધારા મંજૂરીઓ આપી દિધી છે, તેમને લઇને વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ભોગવી રહ્યા છે. સ્પર્ધાત્મક પરિક્ષાના પેપર કૌભાંડો હોય કે યુનિવર્સિટીમાં પેપરલીકનો મામલો હોય રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક કૌભાંડીઓને છાવરતી હોય તેવું દેખાઈ રહ્યું છે.

થોડા દિવસ પહેલા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં રિએસેસમેન્ટના કૌભાંડો હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક મામલે હજુ સુધી આ બાબતે બન્ને યુનિવર્સિટીમાં હકીકત સામે આવી નથી. ગુજરાત કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ હતું કે, આ સરકારે રાજ્યમાં કોઇ પણ નવી સરકારી શાળાઓ ખોલી નથી. નવી સરકારી કોલેજાે ૨૭ વર્ષના શાસનમાં આપી નથી. પોરબંદરમાં પણ સારી સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ભાવસિહજી ટેકનિકલ હોય કે મિડલ સ્કૂલ જયાં ગામના સારા લોકોએ અભ્યાસ કર્યો છે તે અત્યારે બંધ હાલતમાં જાેવા મળી રહી છે. ગામડાઓમા સ્કૂલોને મર્જ કરી ઘણી સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે, શિક્ષણને આ સરકારે વેપાર બનાવી દીધો છે. ગુજરાત એનએસયુઆઈ પ્રમુખે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી દ્વારા વિદ્યાર્થીઓને લઇને જે વચનો આપવામાં આવ્યાં છે, જેમ કે રાજ્યમા બેરોજગાર યુવાનોને ૩૦૦૦ ભથ્થું, રાજ્યમા સરકારી નવી શાળા ખોલવી તેમજ ૧૦ લાખ યુવાનોને નોકરી આપી જેવા વચનો વિદ્યાર્થીઓને કરવામાં આવ્યાં હતાં.

કોંગ્રેસની સરકાર બનતા જ રાહુલ ગાંધીના વિદ્યાર્થીઓને લઇને જે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો છે, તેમને લાગુ કરવામાં આવશે. કોલેજાેમાં વેકેશન હોવા છતા પણ આજે ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષા અધિકાર સંમેલનમાં જાેડાયા હતા. આ જાેતા લાગી રહ્યું છે કે, યુવાનોએ પણ હવે મક્કમતા દાખવીને ૨૭ વર્ષથી રાજ્યમાં જે શિક્ષણનું સ્તર નીચે જઇ રહ્યું છે તેમને હવે બદલાવાનો સમય આવી ગયો છે, તેવું નક્કી કરી લીધું છે. અર્જૂનભાઇ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા પણ વિદ્યાર્થીઓએ લગાવ્યાં હતા. આવનારો સમય હવે યુવાનોનો છે, યુવાનો જ દેશમાં બદલાવ લાવી શકે તેમ છે.

Follow Me:

Related Posts