પંખીઓ સદીઓથી વૃક્ષો તથા કુદરતી રીતે જંગલને ઉગાડનારા માનવના મિત્રરૂપી કુદરતના પરીન્દાઓ છે. તેમનો માનવજાત સાથે સદીઓથી અતુટ નાતો રહ્યો છે. ઉનાળામાં આકરા તાપમાં પંખીઓને તથા એમના નાના બચ્ચાઓને પાણીની જરૂર વધારે પડે છે માટે આપણે સૌએ પંખી સેવા એજ પ્રભુ સેવા કરવા માટે આપણા ઘર, બાલ્કની, અગાશી પર પાણીનું કુંડુ અવશ્ય મુકવું જોઈએ જેથી કોઈ પંખીનો જીવ બચી જાય. છે
શ્રી ઓમકાર કેળવણી ટ્રસ્ટ, સંચાલિત શ્રી મૂળરાજ ધરમશી પ્રાથમિક વિદ્યાલય, સાવરકુંડલા દ્વારા પંખીઓ માટે પાણી પીવાના 700 માટીના કુંડા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા આ સેવા મા શ્રી પ્રો.કે. કે. જાની સાહેબ આર્થિક સહયોગ મળ્યો હતો તથા સાવરકુંડલા શહેરની તમામ સરકારી કચેરીઓ, બાગ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, પ્રાથમિક શાળાઓ, હાઈસ્કુલો, કોલેજોમાં પણ પંખીઓ માટે પાણીના માટીના કુંડા મુકવાની અદભૂત સેવા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સતિષભાઈ પાંડે દ્વારા કરવામાં આવી હતી
પ્રકૃતિના પ્રથમ હરોળના પુજારી એવા પંખીઓ માટે પાણી પીવાના માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું

Recent Comments