રાષ્ટ્રીય

પ્રદૂષણ પર દિલ્હી સરકારના જવાબથી અમે સંતુષ્ટ નથીઃ સુપ્રીમ કોર્ટ

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના કારણે સ્થિતિ ખરાબ છે. દિનપ્રતિદિન વધતા પ્રદૂષણને કારણે સુપ્રીમ કોર્ટે ગ્રુપ ૪ લાગુ કર્યું હતું. શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં પ્રદૂષણ મુદ્દે સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે તે દિલ્હી સરકારના જવાબોથી સંતુષ્ટ નથી. જેના કારણે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારના વકીલને ફટકાર લગાવી છે. કેસની આગામી સુનાવણી ૨૫ નવેમ્બરે થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે દિલ્હી સરકારના એફિડેવિટથી સંતુષ્ટ નથી. દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ મુદ્દે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડી છે. દિલ્હીમાં સતત વધી રહેલા પ્રદૂષણ પર કડક વલણ અપનાવતા કોર્ટે કહ્યું કે દિલ્હીમાં પ્રવેશના તમામ ૧૧૩ પોઈન્ટ પર તાત્કાલિક ચેકપોસ્ટની સ્થાપના કરવી જાેઈએ. કોર્ટે કહ્યું કે એન્ટ્રી પોઈન્ટ પર સતત બેદરકારી થઈ રહી છે.

ચેકપોસ્ટ પર હાજર સ્ટાફને ય્ઇછઁ-૪ના નિયમો અનુસાર ટ્રકો દિલ્હીમાં પ્રવેશ કરે તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપવો જાેઈએ. ય્ઇછઁ તબક્કો ૈંફ ના વિભાગ છ અને મ્ નું પાલન સુનિશ્ચિત કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લગભગ ૧૦૦ એન્ટ્રી પોઈન્ટ માનવરહિત છે અને ટ્રકોની એન્ટ્રીની તપાસ કરવા માટે કોઈ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઝ્રછઊસ્ દ્વારા આપવામાં આવેલા આદેશો છતાં, દિલ્હી સરકાર અને પોલીસ દ્વારા ય્ઇછઁ તબક્કા ૈંફ હેઠળની કલમોનું પાલન કરવામાં નિષ્ફળતા મળી છે. સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે ૧૩ એન્ટ્રી પોઈન્ટ્‌સ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને સીસીટીવી ફૂટેજ શક્ય તેટલી વહેલી તકે કેસમાં એમિકસ ક્યૂરીને આપવાનો નિર્દેશ આપ્યો છે. બારના ૧૩ વકીલો વિવિધ એન્ટ્રી પોઈન્ટની મુલાકાત લેશે અને તે એન્ટ્રી પોઈન્ટ પર ય્ઇછઁ-૪ નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તે જાણવા મળશે.

Related Posts