કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીની વરિષ્ઠ નેતા સ્મૃતિ ઈરાનીએ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સાથેના સંબંધો તોડ્યા બાદ ભાજપના વિરુદ્ધમાં વિપક્ષી પાર્ટીઓને એકજુથ કરવાના કાર્યમાં લાગેલા મુખ્યમંત્રી નીતિશ કુમાર પર કટાક્ષ કરતાં કહ્યું કે, મોદી મંત્ર છે, મેથર્ડ છે, મિશન છે. તે કર્મયોગી પણ છે, કર્મયોદ્ધા પણ છે. એક ક્રિયા, જ્યારે બીજું આચરણનું પ્રતિક છે. વડાપ્રધાનની રેસમાં કદાચ ઘણા છે, પરંતુ દેશમાં વડાપ્રધાન રૂપમાં એક જ વ્યક્તિ નરેન્દ્રભાઈ મોદી છે. 2024મા દેશની જનતા નરેન્દ્રભાઈ મોદીને એકવાર ફરી જંગી બહુમતીથી જીત આપશે.
સ્મૃતિ ઈરાનીએ જ્ઞાન ભવનમાં ‘મોદી@20: સપને હુએ સાકાર’ પુસ્તકના વિમોચન પછી મુખ્ય વક્તા તરીકે સમારોહને સંબોધિત કરતા સમયે મુખ્યમંત્રી નીતીશ કુમારનું નામ લીધા વગર તેમના પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, જે રાજ્યની ભૂમિએ વીરોનું સિંચન કર્યું છે, તે રાજ્યમાં કર્મયોદ્ધા નરેન્દ્રભાઈ પર કટાક્ષ થાય છે. તે પણ તેમના દ્વારા જેમને પોતે સરકાર બનાવવા માટે સમર્થનની જરૂરત છે.
કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યું કે, જેમને પોતે સમર્થનની જરૂરત છે, તેમના આચરણની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. રસ્તા પર લોહી વહી રહ્યું છે. નિર્દોષ, વંચિત, શોષિત પરિવાર, પોતાના સન્માન માટે સંઘર્ષ કરતી મહિલાઓ તેમને દેખાઈ નથી રહી. નરેન્દ્ર મોદીના હરીફોને એ ચિંતા છે કે, કેવી રીતે સત્તા મેળવીએ. પરંતુ, નરેન્દ્રભાઈ 2024મા ફરી સફળતાનો પરચમ લહેરાવશે. તેમણે દાવો કર્યો કે ફક્ત વડાપ્રધાનને જ લોકોના આશીર્વાદ મળ્યા છે.
વિનોદ તાવડેએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર કર્યો કટાક્ષ
જ્યારે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રભારી બન્યા પછી પહેલી વાર બિહાર આવેલા વિનોદ તાવડેએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને બેરોજગારી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો તેને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર કટાક્ષ કર્યો હતો. તેમણે રવિવારના રોજ કહ્યું હતું કે, ભાઈ-બહેન બેરોજગાર થઈ ગયા છે તો બેરોજગારી દિવસ ઉજવવો સ્વાભાવિક છે. તાવડેએ કહ્યું કે, PM મોદીએ આજે એ જણાવી દીધું કે, જનપ્રતિનિધિ બન્યા વગર અને મંત્રી બન્યા વગર પણ ઘણું બધુ કરી શકાય છે. સંગઠનમાં પણ ઘણું બધું કરી શકાય છે.
Recent Comments