ગુજરાત

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં ૮.૫૨ લાખ મકાનો બન્યા

દેશના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પોસાય તેવી કિંમતોએ પાકાં મકાનો ઉપલબ્ધ કરાવવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૫માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રારંભ કર્યો હતો. છેલ્લાં ૯ વર્ષોમાં આ યોજના હેઠળ દેશના લાખો પરિવારોને પોતાના સપનાનું ઘર મળ્યું છે, જેનાથી તેમનું જીવનધોરણ પણ ઊંચું આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત રાજ્યમાં પણ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે, અને દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત તેના અમલીકરણમાં અગ્રેસર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ ૮.૫૨ લાખ આવાસોનું નિર્માણકાર્ય પૂરું કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત દેશની આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા પર ‘વિકસિત ભારત જ્ર૨૦૪૭’ નો સંકલ્પ આપ્યો છે, જેમાં દેશમાં તમામ પાસે પાકું ઘર હશે. વિકસિત ભારતના આ સંકલ્પને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવવાના ઉદ્દેશ સાથે ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ‘વિકસિત ગુજરાત જ્ર૨૦૪૭’નો રોડમેપ તૈયાર કરી લીધો છે. રાજ્યમાં તમામ લોકોને પોતાના સપનાનું ઘર મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધતાથી કાર્યરત છે.જૂન ૨૦૧૫માં જાહેર થયા બાદ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાત રાજ્ય માટે અંદાજિત માંગ મુજબ ૭.૬૪ લાખ આવાસોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો,

જેની સામે આજ દિન સુધીમાં કુલ ૯.૭૮ લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂર થયેલ આવાસોમાંથી ૮.૫૫ લાખ જેટલા આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪ ૨૫ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ૧ લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે ?૧૦૬૬ કરોડની રકમની જાેગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, વર્ષ ૨૦૨૪ ૨૫ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ૬૫,૦૦૦થી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે ?૧૩૨૬.૯૩ કરોડની માતબર રકમની જાેગવાઈ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ ૬.૧૩ લાખથી પણ વધુ લાભાર્થીઓને તેમના પ્રથમ આવાસ પર લીધેલ લોન પર વ્યાજ સહાયનો લાભ અપાવવામાં ગુજરાત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રસ્થાને છે.આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦માં આર્ત્મનિભર ભારત અભિયાન હેઠળ એફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પ્લેકસીસ યોજના હેઠળ શહેરી ગરીબો અને કામદારોને સસ્તા ભાડાના આવાસો પૂરા પાડવા માટે જાહેરાત કરવામાં આવી હતી.

આ જાહેરાત થયાના ત્રણ જ માસમાં ગુજરાતના સુરત શહેરના સુડા વિસ્તારમાં નિર્માણ થયેલ ૩૯૩ આવાસોને મોડેલ ૦૧ અંતર્ગત ભાડાના મકાનોમાં રૂપાંતરિત કરીને પ્રોજેક્ટની મંજૂરી મેળવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી – ઇન્ડિયાના લાઇટ હાઉસ પ્રોજેક્ટ (ન્ૐઁ) માટે ગુજરાતના રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી છે, જ્યાં ટનલ ફોર્મવર્ક દ્વારા મોનોલિથિક કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આવાસો બનાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત, રાજકોટ ખાતે ઈઉજી ૨ પ્રકારના કુલ ૧૧૪૪ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા ઓક્ટોબર ૨૦૨૨માં કરવામાં આવ્યું હતું.ગુજરાત રાજ્યના તમામ શહેરોના લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ના ઓછામાં ઓછા એક ઘટકનો લાભ આપવામાં આવ્યો છે.

વર્ષ ૨૦૧૭માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ક્રેડિટ લિંક સબસીડી હેઠળ પ્રથમ સ્થાન એનાયત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૧૯માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે ૬ એવોર્ડ આપવામાં આવ્યા હતા, જે નીચે મુજબ છેઃ ૧. પોલિસી ઈનિશિયેટીવ, ૨. બેસ્ટ એફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેકટ ઓન પ્રાઈવેટ લેન્ડ અને ૩. બેસ્ટ ઈન સીટુ સ્લમ રીહેબીલીટેશન પ્રોજેક્ટ.. આ ઉપરાંત, વર્ષ ૨૦૧૯ માં જ મ્ન્ઝ્ર (બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન) ઘટક અંતર્ગત ગુજરાત રાજ્યના ૩ લાભાર્થીઓને બેસ્ટ હાઉસ કન્સ્ટ્રકશન કેટેગરીના એવોર્ડ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ, વર્ષ ૨૦૨૨માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે ૭ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જે નીચે મુજબ છેઃ બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ ઝ્રન્જીજી, બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ છઇૐઝ્રજ અંડર મોડલ ૦૧, બેસ્ટ છૐઁ પ્રોજેક્ટ અંડર ઁઁઁ મોડેલ, બેસ્ટ સ્ટેટ ફોર કન્વર્જન્સ વિથ અધર મિશન, સ્ટેટ વિથ મેક્સિમમ ટેક્નોગ્રાહી વિઝિટ એટ ન્ૐઁ સાઇટ, બેસ્ટ પર્ફોર્મિંગ જીન્‌ઝ્ર અંડર ઁસ્છરૂ (ેં) અને બેસ્ટ પર્ફોર્મિંગ મ્યુનિસિપલ કાઉન્સિલ (ઉના નગરપાલિકા).

Related Posts