ગુજરાત

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે રાજ્યના મુખ્ય સચીવ પંકજ કુમારે જિલ્લાની મુલાકાત લઇ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે* ૦૦૦ *રાજ્યના મુખ્ય સચીવ શ્રી પંકજ કુમારે જિલ્લાની મુલાકાત લઇ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી* ૦૦૦ દાહોદ, તા. ૮ : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે. આગામી પખવાડીયામાં યોજાનારા પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ સંદર્ભે રાજ્યના મુખ્ય સચીવ શ્રી પંકજ કુમાર સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓએ દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી અને જિલ્લા સેવા સદન ખાતે કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.   મુખ્ય સચીવ શ્રી પંકજ કુમારે દાહોદ જિલ્લામાં યોજાનારા કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ સ્થળ તેમજ કાર્યક્રમના આયોજન વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે પ્રધાનમંત્રીશ્રી દ્વારા લોકાર્પિત થનારા વિવિધ વિકાસકાર્યો તેમજ ખાતમુહૂર્તની વિગતો પણ મુખ્ય સચીવશ્રીને આપી હતી. મુખ્ય સચીવ શ્રી પંકજ કુમારે કાર્યક્રમના સુચારૂ સંચાલન બાબતે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે પ્રધાનમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ થનારા વિકાસકાર્યોની મુલાકાત પણ લીધી હતી.

 તદ્દઉપરાંત, જિલ્લાના પ્રભારી સચીવ શ્રી રાજકુમાર બેનીવાલે પ્રધાનમંત્રીના કાર્યક્રમના આયોજન માટે નિયુક્ત કરવામાં આવેલી વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા કરી હતી અને તેમને જરૂરી સૂચનાઓ આપી હતી.   મુખ્ય સચીવ શ્રી પંકજ કુમારની અધ્યક્ષતામાં ગત રોજ યોજાયેલી બેઠકમાં આદિજાતિ વિકાસ વિભાગના સચીવ ડો. એસ. મુરલીક્રિશ્ના, માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી એસ.બી. વસાવા, આદિજાતિ વિકાસ નિયામક શ્રી દિલીપકુમાર રાણા, પંચમહાલના કલેક્ટરશ્રી સુજલ મયાત્રા, દાહોદના જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા, પંચમહાલના જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. 

Related Posts