અમરેલી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના તા.૨૮ ના લાઠીના કાર્યક્રમના આયોજન માટે અમરેલી જીલ્લા ભાજપ દ્વારા બેઠક

દેશના યશશ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તારીખ ૨૮ ઓક્ટોબર ને સોમવારના રોજ અમરેલી જીલ્લાના લાઠી ના દુધાળા ખાતે પધારી રહેલ હોય જેની તૈયારીના ભાગ રૂપે  નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા તથા  પ્રદેશ મંત્રીશ્રી મહેશભાઈ કસવાલા ના માર્ગદર્શન હેઠળ જીલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ ભુપેન્દ્રભાઈ બસીયા,મેહુલભાઈ ધોરાજીયા અને પીઠાભાઈ નકુમ   ની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ. આ બેઠકમાં  અમરેલી જીલ્લા ભાજપ ના હોદેદારો,પ્રદેશ મોરચાના હોદેદારશ્રીઓ, મંડલના પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ, જીલ્લા મોરચાના પ્રમુખશ્રીઓ,મહામંત્રીશ્રી તથા ચૂંટાયેલા પ્રતીનીધીશ્રીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ.સમગ્ર કાર્યક્રમની તૈયારીમાં વિવિધ તાલુકાઓ શહેરો માંથી લોકો બહોળી સંખ્યામાં લોકો પધારવાના હોય  જેના  આયોજન અંગે  બેઠક યોજાઈ. જીલ્લા ભાજપના કાર્યાલય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ ચાવડા ની અખબારી યાદીમાં જણાવેલ.

Related Posts