સુરત પ્રમાણિકતા નું ઉમદા ઉદારણ માનવતા મહેકાવતી ઘટના.યોગીચોક, પ્રમુખછાયા સોસાયટીમાં રહેતા અશોકભાઈ મુંજાણી ઘરનું મકાન લેવા માટે પોતાના ઘરેણા વેચીને રૂપિયા લાવતા હતાં, ત્યારે કમનસીબે રસ્તામાં ૪ લાખ રૂપિયા પડી ગયા હતા.જે મહાલક્ષ્મી સોસાયટી, યોગીચોક ખાતે પૂજ્ય પાંડુરંગદાદા સ્વાધ્યાય પરીવાર સાથે જોડાયેલા, ભાડાના મકાનમાં રહેતા મુકેશભાઈ તળાવીયા (ગામ : ઢસા-આંબરડી) ને મળ્યા અને તેમણે પ્રસંગમાં વતન જવાનું કેન્સલ કરી કોઈના ગુમ થઈ ગયેલાં પૈસાનું દુઃખ સમજ્યા અને માનવતા દાખવીને આ રૂપિયા મૂળ માલિક અશોકભાઈને પરત કર્યા.આ ઘટનાએ સંવેદનશીલ અને લાગણીસભર અભિગમથી પ્રેમ, સદભાવના, કરુણા અને તંદુરસ્ત સમાજના નિર્માણ થકી રામરાજ્યને સાર્થક કરતો દાખલો બેસાડ્યો છે, એ બદલ પરિવારનું શાલ ઓઢાડીને રાજ્ય ના શિક્ષણ મંત્રી એ સન્માન કર્યું.
પ્રમાણિકતા નું ઉમદા ઉદારણે માનવતા મહેકાવતી ઘટના.

Recent Comments