અમરેલી

પ્રાકૃતિક કૃષિઃ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વ ઉજવણીમાં પ્રાકૃતિક કૃષિ સ્ટોલ

મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા અધ્યક્ષસ્થાને બગસરા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વ ઉજવણીમાં પ્રાકૃતિક કૃષિ સ્ટોલ રાખવામાં આવ્યો હતો. અમરેલી આત્મા પ્રોજેક્ટ દ્વારા બગસરા મેઘાણી સ્કૂલ ખાતેના આ સ્ટોલની મુલાકાતે મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા આવ્યા હતા. મંત્રીશ્રી સાથે બગસરા-ધારી-ખાંભા વિસ્તારના જે.વી.કાકડિયા, જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.બી.પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘ સહિતના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, વેપારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, વિદ્યાર્થીઓ, ખેડુતો, યુવાનો, મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત કરી પ્રાકૃતિક કૃષિ વિશેની વિગતો મેળવી હતી. સ્ટોલ પર અમરેલી આત્મા પ્રોજેક્ટ અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતો સહિતના ઉપસ્થિત રહ્યા હતા, તેમ આત્મા પ્રોજકેટના શ્રી દિલીપ ચાવડાએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.

Related Posts