રાજ્યને આગામી ૦૫ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી યુક્ત બનાવવા માટે રાજ્યપાલથી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માર્ગદર્શન હેઠળ મિશન મોડમાં પ્રયાસો થઈ રહ્યા છે. ઝેરયુક્ત રસાયણિક ખાતરોના ઉપોયગ વગર દેશી ગાયના છાણ અને ગૌમૂત્રની સાથે સાથે પ્રાકૃતિક પદાર્થો યુક્ત દવાઓના ઉપયોગ વાળી કૃષિ કરી અને ખેત ઉપજ વધી શકે છે અને તે સાથે ખર્ચમાં ઘટાડો થાય છે. કોઈ પણ ખેતી માટે પાકના સંરક્ષણ એ મહત્વનો ભાગ છે. પાકમાં થતી ચૂસિયા પ્રકારની અને મોટી જીવાતો, ઈયળો અને કીટકોના વ્યવસ્થાપન માટે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવો પડે છે તેને બદલે તેના વિકલ્પરુપ વસ્તુઓ બનાવી તેનો ઉપયોગ કરી શકાય છે. પ્રાકૃતિક ખેતીમાં જેમ ખાતરની દવાઓ બની શકે છે તેમ પ્રાકૃતિક પદાર્થોની મદદથી ઘર બેઠા રાસાયણિક દવાઓના વિકલ્પ જાતે બનાવી શકાય છે. નજીવા ખર્ચે બનતી આ દવાઓ લગભગ વિનામૂલ્યે તૈયાર થઈ શકે છે. થોડી મહેનત થકી આ દવાઓ તૈયાર થઇ શકે અને ખેતરમાં હોય તે ઉભા પાકને જીવાતોથી બચાવી શકે છે. પ્રાકૃતિક ખેતીના અસ્ત્રો નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અને અગ્નિ અસ્ત્ર દ્વારા જીવાતોનું સંક્લિત વ્યવસ્થાપન કરી શકાય છે.
૧) નિમાસ્ત્ર (ચૂસિયા પ્રકારની જીવાતો અને નાની ઈયળોના નિયંત્રણ માટે) : ૨૦૦ લીટર પાણી + ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૨ કિલોગ્રામ દેશી ગાયનું છાણ + ૧૦ કિગ્રા કડવા લીમડાના નાના પાંદડા, કુમળી ડાળીઓ અથવા ૨૦ થી ૩૦ કિલો લીંબોડી ખાંડીને આ મિશ્રણને કોથળાથી ઢાંકી ૪૮ કલાક છાયડામાં રાખી સવાર સાંજ ૫-૫ મિનિટ માટે ઘડિયાળનાં કાંટાની દિશામાં હલાવવું ત્યારબાદ કપડાથી ગાળીને ઉપયોગ કરવો. સંગ્રહ ક્ષમતા : ૬ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય. છંટકાવ : પ્રતિ એકર ૨૦૦ લીટર ફક્ત નિમાસ્ત્ર. પાણી ભેળવવાનું નથી, પાળી ભેળવ્યા વગર સીધો જ છંટકાવ કરવો.
(૨) બ્રહ્માસ્ત્ર (કીટકો, મોટી જીવાતો અને ઈયળો માટે) : ૨૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૨ કિલોગ્રામ કડવા લીમડાના પાનની ચટણી + ૨ કિલોગ્રામ કરંજના પાનની ચટણી + કિલોગ્રામ સીતાફળના પાનની ચટણી + ૨ કિલોગ્રામ એરંડાના પાનની ચટણી + ૨ કિગ્રા ધતુરાના પાનની ચટણી + ૨ કિલોગ્રામ બીલીપત્રના પાનની ચટણી આ પૈકી કોઈપણ પાંચ જાતની ચટણી લઈ આ મિશ્રણને ઢાંકી ધીમા તાપે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીને ઠંડુ પડવા દેવું. ત્યારબાદ ૨ દિવસ સુધી સવાર-સાંજ ૫-૫ મિનિટ ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને ઉપયોગ કરવો. સંગ્રહ ક્ષમતા : ૦૬ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય. છંટકાવ : પ્રતિ એકર ૧૦૦ થી ૨૦૦ લીટર પાણી + ૬ થી ૮ લીટર તા : ૬ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય.
(૩) અગ્નિઅસ્ત્ર (વૃક્ષના થડ અથવા દાંડીઓમાં રહેતાં કીટકો, કળીઓમાં રહેતી જીવાતો, ફળોમાં રહેતી જીવાતો, કપાસના કાલામાં રહેતી જીવાતો તેમજ બધા પ્રકારની મોટી જીવાતો અને ઈયળો માટે)
રીત : ૨૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૨ કિલોગ્રામ કડવા લીમડાના પાનની ચટણી + ૫૦૦ ગ્રામ તીખા મરચા ચટણી + ૨૫૦ ગ્રામ દેશી લસણની ચટણી + ૫૦૦ ગ્રામ તમાકુનો પાવડર + ૫૦૦ ગ્રામ આદુની ચટણી, આ મિશ્રણને ઓગાળીને ઢાંકી ધીમા તાપે એક ઉભરો ભાવે ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડવા દેવું ત્યારબાદ ૨ દિવસ સુધી સવાર-સાંજ ૫-૫ મિનિટ માટે ઘડીયાળના કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને ઉપયોગ કરવો. સંગ્રહ ક્ષમતા : ૩ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય. છંટકાવ : પ્રતિ એકર ૧૦૦ થી ૨૦૦ લીટર પાણી +૧ ની ૮ લીટર અગ્નિઅસ્ત્રનો છંટકાવ કરવો.આમ, પાક સંરક્ષણના આ ઉપાયો દ્વારા ખેડૂતો પ્રાકૃતિક રીતે દવાઓ બનાવી અને તેનો છંટકાવ કરી શકે છે અને રાસાયણિક દવાઓથી થતી સંભવિત આડઅસરોથી જમીનને અને પાકને સંરક્ષિત રાખી શકે છે.
Recent Comments