અમરેલી

બંધારણનું ચિત્રે હાલ કરનાર ભાજપને જવાબ દેવાનો સમય આવી ગયો છે : દલિત સમાજ

કુંકાવાવ મુકામે દલિત સમાજનું અનુસુચિત જાતિ સમાજનું મોટું સમેલનનું ગોઠવવામાં આવ્યું હતુ , જેમાં ખાસ કરીને વર્તમાન ભાજપ સરકારની વિરૂધ્ધમાં તમામ સમાજે ભેગા મળી એકી સાથે ભાજપ સરકારને પરાજીત કરીને કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીને ટેકો આપવાનું વચન આપ્યું હતું , વર્તમાન ભાજપ સરકારની જે દલિત સમાજની વિવિધ સરકારી યોજનાઓ બધ કરી જેમકે ઈન્દિરા આવાસ સરદાર આવસ , મફત પ્લોટ આવી યોજનાઓ બંધ કરી અને આજે આ ભાજપ સરકાર અનામત જે દલિત સમાજને બધારણમા મળેલ છે અને પણ દરિયામાં ફેંકવાની વાત કરતી હોય ત્યારે સમગ્ર કુંકાવાવ તાલુકાના ૪૪ ગામના અનુસુચિત જાતિના આગેવાનોએ ચોકી મગનબાપાના આશ્રમે આવાનારા સમય કોંગ્રેસને મત આપી કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીને વિશાળ સંખ્યામાં સમર્થન જાહેર કરી આખી અમરેલી વિધાનસભા માથી અનુસુચિત જાતિના આગેવાનો વધુમાં વધુ કોંગ્રેસ તરફી મતદાન કરી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને વિજય બનાવવાનું આયોજન કર્યુ હતું .

Follow Me:

Related Posts