સંત શિરોમણીબજરંગદાસ બાપા ની તપોભુમી બગદાણા ગામ ખાતે આવેલા શ્રી ગુરૂઆશ્રમ માં બજરંગદાસબાપાની 45મી પૂણ્યતિથિ સાદગીથી અને સરકારશ્રીની કોરોના ગાઇડલાઇન પ્રમાણે ઓનલાઇન ઉજવવામાં આવશે.
પોષ વદ ચોથ તારીખ 22/ 1 /2022 ને શનિવારે પુણ્યતિથી મહોત્સવ સરકારશ્રીના નિયમો પ્રમાણે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, પુણ્યતિથિ મહોત્સવમાં બગદાણા ગામમાં નીકળતી બાપાની નગરયાત્રા ચાલુ વર્ષે નીકળશે નહીં. આ વિગતની સર્વે સેવક સમુદાય ,ભક્તજનોએ નોંઘ લેવા બગદાણા આશ્રમ તરફથી જણાવવામાં આવ્યું છે.
બગદાણા ગામ ખાતે આવેલા શ્રી ગુરૂઆશ્રમ બજરંગદાસબાપાની 45મી પૂણ્યતિથિ સાદગીથી અને સરકારની કોરોના ગાઇડલાઇન પ્રમાણે ઓનલાઇન ઉજવવામાં આવશે.

Recent Comments