અમરેલી

બગસરાના સુડાવડ ખાતે ખોડીયાર માતાજીની લાપસી પ્રસાદ કાર્યક્રમમાં હાજરી આપતા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી

આગામી વિધાનસભાની ચુંટણીને અનુલક્ષ ને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણી, અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મનીષ ભાઈ ભંડેરી અને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી જનકભાઈ પંડ્યા નો તાલુકા મથકે દરેક તાલુકા ના સંગઠનની સક્નિયતા વધારવાના હેતુથી પ્રવાસનું આયોજન કરેલ હતું. આ પ્રવાસ અંતર્ગત બગસરા તાલુકાના સુડાવડ ખાતેમાં ખોડીયાર મંદિર ખાતે રમેશભાઈ શામજીભાઈ સુવાગીયા પ્રમુખ બગસરા લેઉઆ પટેલ સમાજ દ્વારા માતાજીની લાપસી ના પ્રસાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બગસરા લેઉઆ પટેલ સમાજના પ્રમુખ રમેશભાઈ સુવાગીયાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી નું શાલ ઓઢાડી ફૂલહારથી સન્માન કર્યું હતું.

Related Posts