અમરેલી

બગસરા શરાફી મંડળી દ્વારા ડિવિડન્‍ડ વિતરણનો શુભારંભ

શ્રી બગસરા નાગરિક શરાફી મંડળીના વર્ષ ર0ર0/ર1ના 16011 જેટલા સભાસદોને 1પ% લેખે રૂા. 43,93,039 ડિવિડન્‍ડ વિતરણનો શુભારંભ મંડળીના સ્‍થાપક ચેરમેન રશ્‍વિનભાઈ ડોડીઆના વરદ હસ્‍તે કરવામાં આવેલ.

મંડળીએ વર્ષ ર0ર0/ર1 દરમિયાન કુલ ર,49,પ3,880 નફો કરેલ અને મંડળીના સભાસદોને 1પ% ડિવિડન્‍ડ ફાળવવામાં આવેલ તે કાર્યક્રમ યોજાયેલ તેમાં ચેરમેન રશ્‍વિનભાઈ ડોડીઆએ સભાસદોને મંડળી પ્રત્‍યેનો આદર છે તેને બિરદાવેલ અને          મંડળીની પ્રગતિમાં સહકાર સે સમૃઘ્‍ધિ કી ઔરના સૂત્ર સાથે આગળ વધે તેમ જણાવેલ.

આ તકે મંડળીની શાખા બગસરા, ધારી, અમરેલી, ચલાલા, લીલીયાના સભાસદોને મંડળીની ઓફિસથી વિતરણ કાર્યક્રમ યોજાયેલ. આ કાર્યક્રમમાં બગસરા શાખાના એમ.ડી. લલિતભાઈ ચુડાસમા, ધારી શાખાના એમ.ડી. કેતનભાઈ ધકાણ, અમરેલી શાખાના એમ.ડી. મુકુન્‍દરાય જેઠવા, ચલાલા શાખાના એમ.ડી. ઉમેશભાઈ માઢક, લીલીયા શાખાના એમ.ડી. પરીનભાઈ રાજપુરા, ડિરેકટરમહેશભાઈ વ્‍યાસ, હરીભાઈ ભટી, ભરતભાઈ ખીમસુરીયા, વિણાબેન સરવૈયા, એડ. બોર્ડ મેમ્‍બર રામજીભાઈ અમરેલીયા, સંજયભાઈ નાંઢા સહિત ઉપસ્‍થિત રહેલ. આ કાર્યક્રમનું સંચાલન જનરલ એમ.ડી. નિતેષભાઈ ડોડીઆએ કરેલ જયારે આભારવિધિ જનરલ સેક્રેટરીએ કરેલ તેમ શાખા સેક્રેટરી પ્રકાશભાઈ પાઘડાળની યાદી જણાવે છે.

Related Posts