શેત્રુંજી જળાશય યોજનામાથી રબી/ઉનાળુ વર્ષ ૨૦૨૦-૨૧ માટે સિંચાઈના પાણી અંગેના ફોર્મ
ભરવાની અધિસુચના તા.૬/૧૨/૨૦૨૦ના રોજ બહાર પાડવામાં આવેલ હતી. જેમા જણાવેલ કે શેત્રુંજી જમણા કાંઠાનહેર તથા ડાબા કાંઠા નહેરના તમામ બાગાયતદારોની સિંચાઇની માંગણી અંગેની અરજી આયોજીત ૧૨,૫૫૦હેક્ટરના ૫૦ ટકા ફોર્મ આવ્યા બાદ તા.૫/૧/૨૦૨૧થી સિંચાઇ માટે પાણી કેનાલમાં શરૂ કરવામાં આવશે, પરંતુઆજની તારીખ સુધી બંન્ને કાંઠાની નહેરમાં સિંચાઈ અંગેના ફોર્મ નહિવત આવેલ હોવાથી ફોર્મ સ્વીકારવાનીતા.૨૦/૦૧/૨૦૨૧ સુધી લંબાવવામા આવેલ છે. આથી દરેક બાગાયતદારોને સિંચાઇની માંગણી અંગેની અરજીવહેલી તકે ભરી દેવા ફરીથી જણાવવામાં આવે છે. જેથી સિંચાઈનું પાણી વહેલામા વહેલું કેનાલમાં શરૂ કરી શકાય.જેની દરેક બાગાયતદારોને નોંધ લેવા કાર્યપાલક ઇજનેરશ્રી, ભાવનગર જળસિંચન વિભાગ, ભાવનગરની યાદીમાંજણાવવામાં આવ્યું છે.
બગાયતદારોને સિંચાઇની માંગણી અંગેની અરજીઓ વહેલી તકે ભરી આપવા જળસિંચન વિભાગ દ્વારા સૂચન કરાયું

Recent Comments