ગુજરાત

બહુચરાજી મંદિરમાં ભોજનમાં લાડુ ઉમેરી થાળીના રૂ.૩૦ થી વધારીને રૂ.૬૦ કરાયા

બહુચરાજી યાત્રાધામ માં ભોજન પ્રસાદના દરમાં વધારો કરવામાં આવ્યો છે પૂજન પ્રસાદમાં લાડુ ઉમેરી થાળીનો દર ૩૦ રૂપિયાથી વધારીને ૬૦ રૂપિયા કરી દેવામાં આવ્યો છે બહુચરાજી મંદિરમાં વાર્ષિક દાનની કરોડોમાં આવક થતી હોય અંબાજીના જેમ બહુચરાજીમાં પણ વિના મૂલ્ય ભોજન પ્રસાદની સુવિધા કરવામાં આવે તેવી લાગણી ભક્તો વ્યક્ત કરી રહ્યા છે. બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત બહુચર ભોજનાલયમાં ભોજન પ્રસાદમાં થાળીનો દર ૩૦ રૂપિયાથી વધારીને ૬૦ રૂપિયા કરવામાં આવ્યો છે બહુચર ભોજનાલયમાં અત્યાર સુધી ૨૦૧૮ ના ટેન્ડર મુજબ બપોરે ૩૦ રૂપિયા માં ભોજન પ્રસાદ અપાતો હતો અને રાત્રે ૨૪ રૂપિયામાં ભોજન પ્રસાદ અપાતો હતો

તાજેતરમાં જેમ પોર્ટલ મારફતે નવા કરાયેલ ટેન્ડરમાં એલ વન એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેમાં બપોરનું ભોજન લાડુ સાથે થાળીદાર રૂપિયા ૬૦ અને રાત્રી ભોજન પ્રસાદનો થાળીદાર રૂપિયા ૩૬ નક્કી કરવામાં આવ્યો છે અને આ નવા દર એક સપ્ટેમ્બર થી લાગુ કરી દેવામાં આવ્યા છે. ૨૦૧૮ ના ટેન્ડર પ્રમાણે અગાઉ ૩૦ રૂપિયામાં ભોજન આપવામાં આવતું હતું જેના દર અત્યારે ૬૦ રૂપિયા કરવામાં આવતા દૂર દૂરથી આવતા યાત્રિકોને પણ આંચકો લાગ્યો છે દૂર દૂરથી યાત્રિકો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે જેમની ઈચ્છા હોય છે કે તે માતાજીનો પ્રસાદ ગ્રહણ કરે અને અગાઉ ૩૦ રૂપિયા થાળીદાર હોવાથી યાત્રિકો સામાન્ય ધર્મ ભોજન પ્રસાદ લેતા હતા

પરંતુ નવા ટેન્ડર પ્રમાણે એજન્સીએ ૬૦ રૂપિયા ભાવ કરાતા ક્યાંક યાત્રિકોમાં આંચકો અનુભવાયો છે. માતાજીના દર્શને આવતા યાત્રિકોને ઈચ્છા હોય છે કે તે માતાજીનો પ્રસાદ ગ્રહણ કરે તેમની ઈચ્છા પૂરી થાય તે માટે બહુચરાજી મંદિર ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભોજનમાં લાડુ ફરજિયાત કરવામાં આવ્યો છે જેથી યાત્રિકોને મા બહુચરના પ્રસાદનો લાભ મળી રહે ભોજનાલયની જાે વાત કરીએ તો વર્ષે અંદાજે ૫.૫૦ લાખથી પણ વધુ યાત્રિકો ભોજન પ્રસાદનો લાભ લે છે બહુચરાજી મંદિરમાં વર્ષે ૧૦ કરોડથી વધુ અંદાજિત દાનની આવક થાય છે જેથી અંબાજીની જેમ બહુચરાજીમાં પણ યાત્રિકોને વિનામૂલ્ય ભોજન પ્રસાદ આપવામાં આવે તેવી લાગણી યાત્રિકો અને મારી ભક્તો વ્યક્ત કરી રહ્યા છે.

Related Posts