રાષ્ટ્રીય

બાંગ્લાદેશ મામલે દિલ્હીમાં બેઠક, NSAએ સ્થિતીની જાણકારી આપી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં હિંસાની સ્થિતિને લઈને તેમના સત્તાવાર નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. પીએમ મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની આ મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ. જયશંકર જાેડાયા હતા. આ બેઠકમાં નાણામંત્રી ર્નિમલા સીતારમણ ઉપરાંત અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. વડાપ્રધાન મોદી બાંગ્લાદેશની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. મીટિંગ દરમિયાન, ગાઝિયાબાદમાં હિંડન એરફોર્સમાં શેખ હસીનાને મળવા આવેલા દ્ગજીછ ડોભાલ તેમની મીટિંગ વિશે સંપૂર્ણ વિગતો આપી શકે છે.

આ સાથે વર્તમાન પરિસ્થિતિમાં આગળની રણનીતિ પર પણ ચર્ચા થઈ શકે છે. દ્ગજીછ અજીત ડોભાલે ગાઝિયાબાદના હિંડન એરફોર્સમાં પૂર્વ પીએમ શેખ હસીનાને લગભગ દોઢ કલાક સુધી મળ્યા હતા. હસીનાએ હજુ સુધી ભારત પાસેથી કોઈ માંગણી કરી નથી. બીએસએફના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત અને બાંગ્લાદેશ સરહદ પર સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે. હાલમાં મ્જીહ્લ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ સાથે સતત સંપર્કમાં છે. બંને તરફથી જરૂરી માહિતીની આપલે પણ કરવામાં આવી રહી છે. સરહદ પરની તમામ સંકલિત ચેકપોસ્ટ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. એર ઈન્ડિયાએ બાંગ્લાદેશમાં સતત સ્થિતિને જાેતા ઢાકા માટેની તેની ફ્લાઈટ્‌સ રદ કરી દીધી છે. એર ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે બાંગ્લાદેશમાં ઉભરી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તેની ઢાકા અને ત્યાંથી ફ્લાઈટ્‌સનું નિર્ધારિત સંચાલન તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કન્ફર્મ બુકિંગ ધરાવતા મુસાફરોને ઢાકા આવવા અને જવા માટે મદદ કરવામાં આવી રહી છે. અમેરિકાએ શેખ હસનીના વિઝા રદ કર્યા, જેનો અર્થ છે કે તે હવે યુએસ પ્રવાસ કરી શકશે નહીં. એવું માનવામાં આવે છે કે તેમના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશ અને અમેરિકા વચ્ચેના સંબંધો સારા નહોતા, જેના કારણે તેઓ હવે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હસીનાએ અમેરિકાને બેઝ બનાવવા માટે આઈલેન્ડ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. શેખ હસીનાએ બ્રિટનમાં આશ્રય મેળવવા વિનંતી કરી છે. જાે કે તેની માંગ હજુ પેન્ડીંગ છે. યુકે સત્તાવાળાઓ સાથે ઔપચારિક આશ્રય વિનંતી પર પ્રક્રિયા કરવામાં આવી રહી છે. શેખ હસીનાની બહેન શેખ રેહાના અને ભત્રીજી ટ્યૂલિપ સિદ્દીક કે જેઓ બ્રિટિશ નાગરિક છે

તેમની આશ્રય વિનંતી માટે આ સૌથી મજબૂત મુદ્દો માનવામાં આવે છે. આ બધી અનિશ્ચિતતાઓને કારણે શેખ હસીનાની યાત્રા અટકી ગઈ છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર હસીના ભારતમાં હજુ થોડા દિવસો રોકાઈ શકે છે. તે ભારતમાંથી લંડન જવાની હતી, પરંતુ હવે તે અન્ય વિકલ્પો પર વિચાર કરી રહી છે. સાથે જ આ મામલે ભારત સરકારનું નિવેદન પણ સામે આવ્યું છે. સરકારે કહ્યું છે કે તે બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના પર ર્નિભર છે કે તે ભારતમાં રહેવા માંગે છે કે નહીં.

Related Posts