અમરેલી

બાગાયત વિભાગ દ્વારા પેકિંગ મટીરીયલ્સ ખરીદી માટે ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.7500/- ની સહાય

 સાવરકુંડલા પંથકમાં બાગાયતી ખેતી નફાકારક બનાવવા માટે કેરી ઉત્પાદક ખેડૂતોનું સંગઠન ખૂબજ લાભકારક હોય આંબાની ખેતી કરતા સમાન રસ ધરાવતા ખેડૂતોએ સંગઠન બનાવવું જોઇએ ખેતી અને બાગાયત પેદાશોના પોષણક્ષમ ભાવ મળતા નથી તે ખેડૂતોની આજની સૌથી મોટી સમસ્યા છે આંબાની ખેતી કરતા ખેડૂતો જો બોક્સમાં પેકિંગ કરી કેરીનું વેચાણ કરે તો તેમને પેકિંગ મટીરીયલ્સની ખરીદી માટે હેક્ટર (૬.૨૫ વીઘા) દીઠ રૂ.7500/- ની સહાય આપવામાં આવે છે વર્ષ 23-24 માટે તા.31/05 સુધી અમરેલી જીલ્લામાં બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓમાં સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતો માટે આઇ-ખેડૂત પોર્ટલ મારફતે ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ ઓનલાઇન અરજી કરી જરૂરી સાધનિક પુરાવા નાયબ બાગાયત નિયામકની કચેરી સરદાર ચોક, ચક્કરગઢ રોડ અમરેલીના સરનામે મોકલી આપવાની રહેશે
  આઅરજી સાથે ખેડૂતોએ 7-12 અને 8અ, બેંક પાસબુક, આધાર કાર્ડ, તલાટી મંત્રીનો બગાયત વાવેતર અંગેનો દાખલો જોડવાનો રહેશે તેમ બાગાયત અધિકારી હેમાંશીબેન પુરોહિત સાવરકુંડલા ની યાદી જણાવેલ.

Related Posts