અમરેલી

બાબરા અને ધારી ખાતે ૨૮ જુલાઈના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

તા. ૧૫ સુધી બાબરા અને તા. ૧૦ સુધી ધારી મામલતદાર કચેરીમાં અરજી સ્વીકારવામાં આવશે

તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજુ કરવા ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે, તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૨૮ જુલાઈના મામલતદાર કચેરી બાબરા અને મામલતદાર કચેરી ધારી ખાતે યોજાનાર કાર્યક્રમ માટેના પ્રશ્નો/ ફરિયાદો આગામી ૧૫ જુલાઈ સુધીમાં મામલતદારશ્રીની કચેરી બાબરા અને આગામી ૧૦ જુલાઈ સુધીમાં મામલતદારશ્રીની કચેરી ધારીને રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા પહોંચાડવાની રહેશે. અરજીના મથાળે મોટા અક્ષરે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવાનું જણા

Related Posts