અમરેલી

બાબરા તાલુકાના શ્રમજીવીઓને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના બાબરા તાલુકામાંથી રોજગાર અર્થે બહાર ગયા હોય તેવા શ્રમજીવીઓને મળી તેમને  મતદાનનું મહત્વ અને લોકશાહી માટે તેમના મતનું મૂલ્ય શું છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમને જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં મતદાર જાગૃત્તિ અભિયાન શરુ છે.

Related Posts