હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસ,મગફળી તેમજ પરચુરણ જણસીની આવક બંધ કરવાનો નિર્ણય યાર્ડ પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે.
હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસ,મગફળી તેમજ પરચુરણ જણસીની આવક બંધ કરવાનો નિર્ણય યાર્ડ પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે. તેમજ આવતી કાલથી 3 દિવસ સુધી હરરાજીનું કામ સદંતર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારથી ફરી રાબેતા મુજબ યાર્ડનું કામ કાજ અને હરરાજી શરૂ કરવામાં આવશે. યાર્ડ દ્વારા ખેડૂતોને પોતાની ખેતજણસી યાર્ડ પર લઈને ન આવવા અપીલ પણ કરવામાં આવી છે.
Recent Comments