ગુજરાતમાં ૩૨ હજારથી વધુ વિદ્યાર્થીઓની ડિગ્રી રદ થવાની ભીતિબાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સૂચનાથી બીસીજી દ્વારા ગુજરાતની જાેડાણ રિન્યૂ ન કરાવનાર લો કોલેજાે અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને માન્ય ન ગણવાની અને તેમનું રજિસ્ટ્રેશન નહીં કરાય તેવી ચેતવણી આપ્યા બાદ કાયદાના સ્નાતકો અને કોલેજાે-યુનિવર્સિટીના સત્તાધીશોમાં ખળભળાટ મચી ગયો છે
ત્યારે બીસીઆઇના આદેશની અમલવારી કરાય તો ગુજરાતમાં ૩૨ હજારથી વધુ વિદ્યાર્થીઓની ડિગ્રી રદ થવાની ભીતિ સેવાઇ રહી છે. બીસીઆઇના સભ્ય દિલીપ પટેલના જણાવ્યા પ્રમાણે જે લો કોલેજાે અને યુનિ.નું બીસીઆઈનું જાેડાણ પૂર્ણ થઇ ગયું હશે અને તેમાં છાત્રોએ અભ્યાસ કર્યો હશે તેવા વિદ્યાર્થીઓનું બીસીજી દ્વારા રજિસ્ટ્રેશન નહીં કરાય. હાલમાં ૨૦૦૯થી ૨૦૨૩ દરમિયાનમાં ૩૨ હજારથી વધુ છાત્રો આ લો કોલેજાે- યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી ડિગ્રી મેળવી ચૂક્યા છે. જાે આદેશનું પાલન થાય તો તેમની ડિગ્રી રદ થવાની શક્યતા નકારી શકાય નહીં.
Recent Comments