ગુજરાત

બાવળાની દવા કંપનીના વધુ ત્રણ ડાયરેક્ટરો દ્ગઝ્રમ્ની NCBમાંગુજરાતમાંથી ૧૩ દેશોમાં દવાની આડમાં ડ્રગ્સ મોકલાતું હોવાની શંકા

ડ્રગ્સકાંડમાં કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની તપાસમાં મોટો ખુલાસો થયો છે. બાવળાની દવા કંપનીના વધુ ત્રણ ડાયરેક્ટરો દ્ગઝ્રમ્ની રડારમાં છે, સાથે જ ગુજરાતમાંથી ૧૩ દેશોમાં દવાની આડમાં ડ્રગ્સ મોકલાતું હોવાની શંકા છે. અગાઉ દ્ગઝ્રમ્ દ્વારા કસ્ટમસ ડેપોમાંથી નશીલા પદાર્થોનો જથ્થો ભરેલુ કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યુ હતુ. દ્ગઝ્રમ્એ એગોનિસ્ત ફાર્મ કંપનીના ડાયરેકટરની પણ ધરપકડ કરી હતી. અમદાવાદના કેરળ ય્ૈંડ્ઢઝ્રમાં એગોનિસ્ટ ફાર્મા કંપની આવેલી છે. હવે કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો દ્વારા અમદાવાદના બાવળાની કંપની દ્વારા ખરેખર દવા મોકલી છે કે નશીલા પદાર્થની નિકાસ કરવામાં આવી છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. દ્ગઝ્રમ્ની તપાસમાં ચોકાવનારી વિગતો સામે આવી છે. કંપની દ્વારા અગાઉ ૧૩ દેશોમાં ૫૦ થી વધુ કન્ટેનર મોકલાયા હતા. બીજી તરફ બાવળાના કેરેળ જીઆઈડીસીમાં આવેલી એગોનિસ્ટ ફાર્મા કંપની દ્વારા ૧૩ દેશોમાં દવાની આડમાં ડ્રગ્સ મોકલાવાતું હોવા અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે બાવળાની દવાની કંપનીઓ પર કામ ચાલુ છે. દવાની આડમાં ડ્રગ્સનો પદાર્થ વેચવામાં આવે તેની સામે કાર્યવાહી માટે જાેગવાઈ છે. જેથી આઇપીસી સહિતની કલમો લગાવી કાર્યવાહી કરવામાં આવશે.

Related Posts