બિહારના સીતામઢીમાં પ્રેમી પંખીડાએ માટે લવ મેરેજ કરવું મુશ્કેલ હતું. પ્રેમના દુશ્મનોએ પ્રેમીને ઢોર માર માર્યો. આ ઘટના બાજપટ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારના રતનપુરા ગામની છે. નાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના છોટા ભાદિયા વોર્ડ નંબર ચારમાં રહેતા રાજુ રામને નજીકના ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ યુવતીના પરિવારજનો તેમના પ્રેમની વિરુદ્ધ હતા. આ દરમિયાન બંનેએ પરિવારના સભ્યોની વિરુદ્ધ જઈને પોતાની મરજીથી લગ્ન કરી લીધા હતા. જેનાથી ગુસ્સે ભરાયેલા યુવતીના પરિવારજનોએ નવદંપતીને રતનપુરા બોલાવી માર માર્યો હતો.
આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા રાજુ રામનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ ઘટના ૧૦મી ઓગસ્ટે બની હતી. યુવતીના પરિવારજનોએ પ્રેમીપંખીડાઓને ઢોર માર માર્યા બાદ ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં બબન ગાજી પાસે રોડ કિનારે ફેંકી દીધા હતા. માહિતી મળ્યા બાદ છોકરાના પરિવારજનોએ સ્થાનિક લોકોની મદદથી પ્રેમી યુગલને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા જ્યાં છોકરીનો જીવ બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ રાજુ રામનું પટનાના પીએમસીએચમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું.
રાજુ રામના મૃત્યુથી તેમના પરિવારમાં આક્રોશ ફેલાયો છે. તેની માતા તેના પુત્ર અને પત્ની તેના પતિને યાદ કરીને રડી-રડી હાલ બેહાલ છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. ઘટનાની પુષ્ટિ કરતા નાનપુર પોલીસ સ્ટેશનના પ્રમુખ રાકેશ રંજને કહ્યું કે આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં આરોપીઓ જેલના સળિયા પાછળ હશે.
Recent Comments