રાષ્ટ્રીય

બિહારમાં NIAએ ૮ સ્થળો પર દરોડા પાડ્યા, ટાર્ગેટ કિલિંગના ષડયંત્રની શંકામાં ૨ની ધરપકડ

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (દ્ગૈંછ) એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (ઁહ્લૈં) સાથે કથિત રીતે જાેડાયેલા શંકાસ્પદ આતંકી મોડ્યુલના સંબંધમાં બિહારના મોતિહારી જિલ્લામાંથી બે વ્યક્તિઓની રવિવારે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ પૂર્વ ચંપારણ જિલ્લાના રહેવાસી તનવીર રઝા ઉર્ફે બરકાતી અને મોહમ્મદ આબિદ ઉર્ફે આર્યન તરીકે થઈ છે. દ્ગૈંછએ શનિવારે ૪ ફેબ્રુઆરીએ પૂર્વ ચંપારણ જિલ્લામાં આઠ સ્થળોએ દરોડા પાડતી વખતે પીએફઆઈ કેડર દ્વારા ઘડવામાં આવેલા ટાર્ગેટ કિલિંગ કાવતરાને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, બંનેએ ટાર્ગેટ કિલિંગને અંજામ આપવા માટે રેકી કરી હતી. આ સિવાય હથિયારો અને દારૂ ગોળાની પણ વ્યવસ્થા કરી હતી.

સૂત્રોએ સીએનએન ન્યુઝ ૧૮ને જણાવ્યું અનુસાર જાે તમને કહીએ તો સુત્રોએ તેમણે જણાવ્યું હતું કે, શસ્ત્રો ઁહ્લૈં ના શસ્ત્રો પ્રશિક્ષક યાકુબ ઉર્ફે સુલતાન ઉર્ફે ઉસ્માનને સોંપવાના હતા, જે ઁહ્લૈં કેડર માટે તેમના “કથિત દુશ્મનો” ને નિશાન બનાવવા માટે શસ્ત્રો તાલીમ સત્રો ચલાવતા હતા. યાકુબે થોડા દિવસો પહેલા ફેસબુક પર એક વાંધાજનક અને ઉશ્કેરણીજનક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેનો હેતુ શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો હતો. આ પોસ્ટની સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર ઘણા વપરાશકર્તાઓ દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા પછી, યાકુબ અને આ બે ધરપકડ કરાયેલા લોકોએ તેમાંથી કેટલાક ટ્રોલર્સને ઓળખ્યા અને તેમની હત્યાનું કાવતરું ઘડ્યું. પ્રવૃત્તિઓમાં સંડોવણીના સંદર્ભમાં દ્ગૈંછના દરોડા અને ધરપકડ કરવામાં આવી હતી, જેઓ આ જ હેતુ માટે પટનાના ફુલવારીશરીફ વિસ્તારમાં ભેગા થયા હતા. સૂત્રોએ જણાવ્યું કે આ ધરપકડો સાથે, ઁહ્લૈંના ‘કિલર મોડ્યુલ’નો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને ટાર્ગેટ કિલિંગના ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. અગાઉ, ઁહ્લૈં મોડ્યુલ સંબંધિત કેસમાં, ૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી ઁહ્લૈં સંબંધિત ઘણા વાંધાજનક લેખો અને દસ્તાવેજાે જપ્ત કરવામાં આવ્યા હતા.

તે જ સમયે, ૪ ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવેલા સર્ચ દરમિયાન, ઘણા ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અગાઉ ગયા વર્ષે જુલાઈમાં, બિહાર પોલીસે ૩ લોકોની ધરપકડ કરતી વખતે કથિત આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો હતો. જેમાં ઝારખંડના નિવૃત્ત પોલીસ અધિકારી મોહમ્મદ જલાલુદ્દીન અને અતહર પરવેઝની ૧૩મી જુલાઈના રોજ પટનાને અડીને આવેલા ફુલવારી શરીફ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બિહારની વિનંતી પર ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા નૂરુદ્દીન જંગીની ત્રણ દિવસ બાદ લખનૌથી ધરપકડ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts