સૌરાષ્ટ - કચ્છ

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વ્યસન મુક્તિ અભિયાન ની રેલીમાં તાલુકા ભાજપના આગેવાનો જોડાયા

આજરોજ મેંદરડા તાલુકામાં એક ભવ્ય રેલીનું આયોજન કરેલું હોય જેમાં એક જાગૃતતા નો સંદેશ એટલે કે વ્યસન મુક્તિ અભિયાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપ નાના બાળકો અને હરિભક્તો દ્વારા મેંદરડા તાલુકાનાં આયોજન કરવામાં આવ્યું જેમાં મેંદરડા તાલુકા ભાજપના આગેવાનો જોડાયા હતા હજી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવ નિમિત્તે વ્યસન મુક્તિ અભિયાન શરૂ કર્યું હોય તેના ભાગરૂપે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેંદરડા તાલુકાના ભાજપ પ્રમુખ વિજય ભાઈ પાનસુરીયા સરપંચના પ્રતિનિધિ તરીકે જે ડી ખાવડું દીપકભાઈ બલદાણીયા જિલ્લા પંચાયતના સદસ્ય હરેશભાઈ ઠુમ્મરના પ્રતિનિધિ તરીકે કિશોર બાપુ સહિતના તાલુકા ભાજપના આગેવાનો આ વિશાળ રેલીમાં જોડાયા હતા આ રેલીનું મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં વ્યસન અને દૂર થાય અને યુવાનો વ્યસન મુક્ત બને તેવા એક શુભ સંદેશ સાથે મેંદરડા ની મુખ્ય બજારો માંથી રેલી આયોજન કરવામાં આવ્યું હતું બાદમાં ના જયપુર રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પૂજન આરતી નો કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જેમાં તાલુકા ભાજપના આગેવાનો જોડાયા હતા

Related Posts