રાષ્ટ્રીય

બેંકોનુ ખાનગીકરણ કરાશે જ: ર્નિમલા સિતારમણ

સરકારી બેંકોના ખાનગીકરણ અંગે સરકારે સ્પષ્ટતા કરી છે કે બેંકોનું ખાનગીકરણ સમય પ્રમાણે થશે. સરકાર તેના સમયપત્રકમાંથી પાછળ નહીં હટે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે સ્પષ્ટ કર્યું છે કે સરકાર તેની ખાનગીકરણ યોજના પર અડગ છે. તે સમયસર પૂર્ણ થશે. બેંકોના ખાનગીકરણના મુદ્દે વિપક્ષ સતત સરકાર પર પ્રહારો કરી રહ્યું છે. વિપક્ષનું કહેવું છે કે સરકાર ધીરે ધીરે દરેક વસ્તુનું ખાનગીકરણ કરવા મક્કમ છે. હકીકતમાં, સરકાર કહે છે કે બેંકોનું ખાનગીકરણ તેના પોતાના સમય અનુસાર થશે. સમયમર્યાદામાં વિલંબને કોઈ અવકાશ નથી. નાણામંત્રી ર્નિમલા સીતારમણે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી.નાણામંત્રીએ મોદી સરકારના ૯ વર્ષ પૂર્ણ થવા પર મુંબઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તેમણે બેંકના ખાનગીકરણના પ્રશ્નનો જવાબ આપ્યો હતો. મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા નાણાં મંત્રીએ કહ્યું કે અમે કોવિડ જેવી મહામારીને હરાવી છે. જાેકે તેને ૩ વર્ષ લાગ્યાં. ર્નિમલા સીતારમણે કહ્યું કે કોવિડ અને અન્ય સંકટને કારણે સરકારે તેની કામગીરીમાં ત્રણ વર્ષ ગુમાવ્યા.

આ દૃષ્ટિકોણથી કામ કરવાની તક માત્ર ૬ વર્ષથી જ મળી રહી છે.સરકાર મોંઘવારીના મોરચે સતત નજર રાખી રહી છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકાર મોંઘવારી ઘટાડવા પર નજર રાખી રહી છે. દેશમાં છૂટક ફુગાવો હવે ઘટીને ૪.૮ ટકા પર આવી ગયો છે. સરકાર પણ ટેક્સ લગાવીને સ્થાનિક બજારો પર નજર રાખી રહી છે. આ સાથે સંગ્રહખોરી રોકવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી મોંઘવારી નિયંત્રણમાં રાખી શકાય. સરકાર મોંઘવારી રોકવા માટે તમામ પ્રયાસો કરી રહી છે, જે સમયસર થવી જાેઈએ.૨૦૦૦ની નોટ પર નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું છે કે આ કામ રિઝર્વ બેંકનું છે સરકારનું નથી. ર્નિમલા સીતારમણે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના ૨૦૦૦ રૂપિયાની નોટ અંગેના નિવેદનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે પૂર્વ નાણામંત્રી સારી રીતે જાણે છે કે આવા ર્નિણયો આરબીઆઈ દ્વારા લેવામાં આવે છે અને તેમાં સરકારનો કોઈ હાથ નથી. પરંતુ વિપક્ષ તેનો ગેરલાભ ઉઠાવીને લોકોમાં ભ્રમણા ફેલાવવાનું કામ કરી રહ્યો છે.

Related Posts