દામનગર બેંક ઓફ બરોડા દ્વારા ભારત સરકાર ના દિશાનિર્દેશો અનુસાર કોરોના મહામારી દરમિયાન સર્જાયેલ વિકટ પરિસ્થિતિમાં ” કોરોના વોરિયર” તરીકે ફરજ બજાવનાર, સર્વે બેંક મિત્ર અને તેમના પરિવાર ની સુરક્ષા ને ધ્યાનમાં લઈને યોજના બનાવવામાં આવી કે કોઈપણ બેંક મિત્રનું આ કોરોના મહામારીના કારણે અવસાન થાય તો તેમના પરિવાર ને તેમના ભવિષ્ય માટે સહાય રૂપ થવા વારસદાર ને રૂ.૧૦ લાખ રકમ આપવામાં આવે. બેંક ઓફ બરોડા ની દામનગર શાખા ના ભુરખીયા ગામે બેંક મિત્ર તરીકે ફરજ બજાવતા સ્વ. અમિતભાઈ રૈયાભાઈ બારડનું દુઃખદ અવસાન કોરોના મહામારી ને કારણે થયેલ હોય, બેંક મિત્રને નાણાકીય સહાય યોજના અંતર્ગત તેમના વારસદાર ગં.સ્વ. સુમિતાબેન અમિતભાઈ બારડ ને આજરોજ રૂપિયા ૧૦ લાખ ની સહાયનો મંજુરી પત્ર શ્રી કેતનભાઈ પડિયા, બ્રાન્ચ મેનેજર, દામનગર ના વરદ હસ્તે આપવામાં આવ્યો. બેંક ઓફ બરોડા ની આ યોજના બેંક મિત્ર પ્રત્યે ની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
બેંક ઓફ બરોડા, દામનગર શાખા દ્વારા બેંક મિત્રને નાણાકીય સહાય યોજના અંતર્ગત કરવામાં આવેલ રૂ.૧૦ લાખ ની સહાય

Recent Comments