અમરેલી

બોરવેલ માટે હવે રૂપિયા ૧૦,૦૦૦નો ચાર્જ વસુલશે ભાજપ સરકાર : પરેશ ધાનાણી

રાજયમાં હવેથી રહેણાંક સરકારી અર્ધસરકારી ખાનગી એકમો તથા ઓદ્યોગિક માટે ભુર્ગભ જળ લેવા માટે કેન્દ્ર સરકારની મંજુરી ફરજીયાત કરી દેવામાં આવી છે અને જો ભુર્ગભ જળનો વશરાશ કરવા માટે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં રૂા. ૧૦,૦૦૦/– ભરીને રજીસ્ટે્રશન કરાવવું ફરજીયાત આ ભાજપ સરકારે કરી દીધું છે.

જયાર થી ભારત દેશમાં ભાજપની સરકાર આવી છે ત્યાર થી દેશની જનતાને ઘરનું ગુજરાન ચલાવવું, રોજગારી મેળવવી, સસ્તું શિક્ષણ મેળવવું, સસ્તી અને સારી આરોગ્ય સેવા મેળવવી, ખેતી કરવી વગેરે જેવી સુવિધાઓથી ભારત દેશની જનતા વંચિત થઈ ગઈ છે, મોદી સરકાર દ્રારા દરેક ક્ષેત્રમાં આડેધડ વિચાર્યા વગર મનઘડત ટેક્ષ નાંખવાથી દેશની જનતા દેવાના બોજતળે ડુબી ગઈ છે, અને ઘરનું ગુજરાત ચલાવવું મુશ્કેલ બની ગયું છે, આટલા બધા ટેક્ષના રૂપીયા ઉઘરાવવા છતાં દેશનું દેવું દીનપ્રતિ વધતુ જાય છે અને સરકારી મિલ્કતો દિવસે ને દિવસે મોદી સરકાર વહેચી રહી છે, ભારત દેશની જનતા આટલી બધી મોઘવારી અને બેરોજગારીમાં પોતાના ઘરનું ગુજરાન માંડમાંડ ચલાવવી રહયા છે.

ગુજરાત રાજયમાં કોઈપણ સ્થળે ભુગર્ભમાંથી જળ લેવા માટે મંજુરી ફરજીયાત બનાવી છે, જે અન્વયે કેન્દ્ર સરકારના જળશકિત વિભાગ હેઠળ આવતા સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર એથોરીટીની મંજુરી ફરજીયાત કરી દેવામાં આવી છે, હવેથી ભુર્ગભમાંથી જળ કાઢવા માટે તા. ૩૦ સપ્ટેમ્બર ર૦રર સુધી રાજયના રહેણાંક સરકારી–અર્ધસરકારી, ખાનગી એકમો તથા ઈન્ડસ્ટ્રીયલ એકમોએ ભુગર્ભમાંથી જળ લેવા માટે ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે, આ માટેની નોટીસ પણ જાહેર કરી દેવામાં આવી છે, જાહેર કરાયેલ નોટીસમાં જણાવયું છે કે, રહેણાંક એપાર્ટમેન્ટ, ગૃહ હાઉસિંગ સોસાયટીઓ, શહેરી વિસ્તારની જળ વિતરક એજન્સીઓ જથ્થાબંધ જળ વિતરકો ઓૈદ્યોગિક માળખાગત માઈનીંગ પરીયોજનાઓ, સ્વિમિંગ પુલ માટે તથા પીવા અને ઘરેલું ઉપયોગમાં લેનાર તમામ ભુગર્ભ જળ વપરાશકર્તાઓ રૂા. ૧૦,૦૦૦/–ની રજીસ્ટ્રેશન ફી ભરીને અરજી કરી શકશે. જો કોઈપણ હધબ એ પાસેથી એનઓસી મેળવ્યા વગર ભુગર્ભજળ ખેંચવાનું ચાલું રાખશે તો વપરાશકર્તાઓ સામે કડક પગલા લેવામાં આવશે, અને મંજુરી વગર ખંેચાયેલા ભુગર્ભ જળને ગેરકાયદેસર ગણવામાં આવશે.

Related Posts