બોલિવુડ એક્ટર અક્ષય કુમાર હાલના દિવસોમાં પોતાની નવી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે માનુષી છિલ્લરે કામ કર્યું છે. જેણે વર્ષ 2017મા મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. ‘પૃથ્વીરાજ’ નીડર અને શક્તિશાળી રાજા પૃથ્વીરાજ ચૌહાણની જિંદગી અને તેમની વીરતા પર આધારિત ફિલ્મ છે. જેમાં અક્ષય કુમાર પૃથ્વીરાજનું પાત્ર નિભાવી રહ્યો છે, જ્યારે માનુષી છિલ્લર પૃથ્વીરાજની પ્રેમિકા રાજકુમારી સંયોગીતાની ભૂમિકામાં દેખાશે. હવે માનુષી છિલ્લરે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના એક સિક્વન્સ વિશે જણાવ્યું છે, જેના માટે 25 લોકો તેને તૈયાર કરવા માટે લાગ્યા હતા
એક ઇન્ટરવ્યૂ દરમિયાન માનુષી છિલ્લરે જણાવ્યું કે, ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’નું વેડિંગ સિક્વન્સ એ સૌથી લાંબો શૉટ હતો. જેના માટે 25 લોકોએ મળીને તેને ત્રણ કલાકમાં તૈયાર કરી. માનુષી કહે છે કે, મેકઅપમાં વધુમાં વધુ 20 મિનિટનો સમય લાગ્યો, કારણકે ડિરેક્ટર રાજકુમારી સંયોગીતાને જેટલું બની શકે તેટલું નેચરલ બતાવવા માગતા હતા, પરંતુ વાળ અને કોસ્ટ્યૂમને સેટ કરવામાં કલાકો લાગી ગયા. સિક્વન્સ માટે મને તૈયાર કરવા અને મારા પર કામ કરવાવાળા લોકોની એક ફોજ હતી.
તે આગળ જણાવે છે કે, ‘કોઈ મારા હાથો પર આલ્તો લગાવી રહ્યું હતું, તો કોઈ મારા પગમાં. કોઈ મારા કોસ્ટ્યૂમ સીવી રહ્યું હતું, કોઈ મારા વાળને સરખા કરી રહ્યું હતું, કોઈ મારું મેકઅપ બરાબર કરી રહ્યું હતું, કોઈ મને જ્વેલરી પહેરાવી રહ્યુ હતું. ત્યાં અગણિત લોકો હતા, જે મારા કોસ્ટ્યૂમ અને જ્વેલરીના સ્તરો સરખા કરવામાં લાગ્યા હતા.
Recent Comments