બ્રહ્મસેના સાવરકુંડલા દ્વારા છેલ્લા નવ વર્ષથી દર વર્ષે નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ બ્રહ્મસેના સાવરકુંડલા દ્વારા શ્રી શક્તિ નવરાત્રી મહોત્સવ 2022 નું સુંદર આયોજન કરવામાં આવેલ છે. જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના બ્રહ્મ પરીવારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહે છે. ખેલૈયા ભાઈઓ-બહેનો ખૂબ જ ઉત્સાહપૂર્વક ઢોલના ધબકારે મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવતા જોવા મળે છે. નવરાત્રી મહોત્સવની સાથો સાથ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી-સાવરકુંડલાના સહયોગથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ.જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા ના ચેરમેન ડો. જે. બી. વડેરા સાહેબ ઉપસ્થિત હતા.
ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રટરી મેહુલ વ્યાસે બ્લડ કેમ્પને સફળ બનાવવા માટે સારી એવી જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં વેદ બ્લડ બેંક-અમરેલીનો પણ સહયોગ સાંપડેલો. આ કાર્યક્રમને સફળ બનાવવા વિજયભાઈ ત્રિવેદી (બ્રહ્મસેના પૂર્વ પ્રમુખ), મનનભાઈ જાની ( માર્ગદર્શક બ્રહ્મસેના, પૂર્વ પ્રમુખ), પરેશભાઈ જોષી,હારિતભાઈ જોશી (બ્રહ્મસેના પૂર્વ પ્રમુખ), ચિરાગભાઈ આચાર્ય(બ્રહ્મસેના પૂર્વ પ્રમુખ)તુષારભાઈ અધ્વર્યું બ્રહ્મસેના પ્રમુખશ્રી), કિરીટભાઈ મહેતા (બ્રહ્મસેના ઉપપ્રમુખશ્રી), ઉર્મિલભાઈ જોશી (મંત્રીશ્રી,બ્રહ્મસેના), દુષ્યંતભાઈ ત્રિવેદી (સહમંત્રીશ્રી,બ્રહ્મસેના), હિમાંશુભાઈ જોશી (ખજાનચીશ્રી,બ્રહ્મસેના), વિરલભાઈ જોશી(સંગઠન મંત્રીશ્રી, બ્રહ્મસેના), પુનીતભાઈ જોશી(સંયોજકશ્રી, બ્રહ્મસેના) સહિત તમામ કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
Recent Comments