કામલમ ખાતે કારોબારી બેઠકમાં કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલાએ ભાજપના શાસનનું સરવૈયુ વિષય પર સંબોધન કરતા કેન્દ્રિય મંત્રી રૂપાલા એ કહ્યું કે, બ્રાઝીલના લોકો કહે છે કે તમારા દેશની ગાય અમારા દેશમા આવી એટલે અમારો દેશ સુખી થયો તેમ પુરુષોત્તમ રૂપાલા એ કહ્યું હતું કેન્દ્રીયમંત્રી રૂપાલાજીએ તેમના બ્રાઝીલ પ્રવાસ અંગે વાત કરતા જણાવ્યું કે બ્રાઝીલના લોકો કહે છે કે તમારા દેશની ગાય અમારા દેશમા આવી એટલે અમારો દેશ સુખી થયો. બ્રાઝીલના લોકો હવે ભારતીય નાગરિકોને ખૂબ આદર અને માન સન્માન આપે છે. રાજયમાં નરેન્દ્રભાઇ મોદી એ કૃષિરથનું આયોજન કરી કૃષિ ક્ષેત્રે ક્રાંતી લાવ્યા અને લોકોની આરોગ્યની ચિંતા કરી 108ની ભેટ આપી. ખેડૂતોને 0 ટકાના દરે લોન આપવાની શરૂઆત પણ ગુજરાતે કરી. રાજયમાં આનંદીબેન પટેલની સરકારે પી.ટી.સી.માં એક લાખ શિક્ષકોની ભરતી કરી. જન ધન ખાતા ખોલાવામાં આવ્યા.કેન્દ્રમાં ગૃહમંત્રી અમિતભાઇ શાહ એ કલમ 370 ને દુર કરી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિતભાઇ શાહના માર્દદર્શનમાં દેશ આગળ વધી રહ્યો છે નવા ભારતની નિર્માણ કરી રહ્યા છે.
બ્રાઝીલના લોકો કહે છે કે તમારા દેશની ગાય અમારા દેશમા આવી એટલે અમારો દેશ સુખી થયો તેમ પુરુષોત્તમ રૂપાલા

Recent Comments