કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભચાઉના ધોળાવિરા વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. સાંજે લગભગ ૪.૪૧ કલાકે ૨.૮ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જો કે, આંચકાથી અત્યાર સુધી કોઈ નુકસાનીના સમાચાર નથી. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ધોળાવીરાથી ૧૦૦ કિમી દૂર પાકિસ્તાન પાસે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. જો કે, સદનસીબે આ ભૂકંપનાં કારણે અત્યાર સુધી કોઈ નુકસાનની માહિતી સામે આવી નથી.
અગાઉ પણ ઘણી વખત કચ્છની ધરાં ભૂકંપના કારણે ધ્રૂજી ચૂકી છે. અગાઉ જાન્યુઆરી મહિનામાં કચ્છના ભચાઉ, નેર બંધડી, કડોલ સહિતના ગામોમાં લોકોએ ભૂકંપનો (ઈટ્ઠિંરૂેટ્ઠાી) આંચકો અનુભવ્યો હતો. આ આંચકાની તીવ્રતા ૪.૪૫ નોંધાઈ હતી. જ્યારે કેન્દ્રબિંદુ ભારત-પાકિસ્તાનની બોર્ડર તરફ નોંધ્યો હતો. ભૂકંપના આંચકાના કારણે લોકો ખુલી જગ્યામાં દોડી આવ્યા હતા. લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, સદનસીબે કોઈ મોટું નુકસાન થયું નહોતું.
Recent Comments