અમરેલી

ભવિષ્યમાં પણ જળસમસ્યાનું સંકટ ઘેરુ ન બને એ માટે સાવરકુંડલાના નગરજનોએ અસરકારક વોટર મેનેજમેન્ટ પોલીસી અપાવવી પડશે.

 બેંગલુરુનું જળસંકટ એક ટ્રેલર છે… પાણી સંદર્ભ આવનાર સમયની ખતરાની ઘંટડી સમાન છે. . આમ ગણીએ તો પાણી એટલે જ જીવન.. માણસને પશુ પક્ષીને પણ ખોરાક વગર એકાદ બે દિવસ ચલાવી શકાય પરંતુ પાણી વગર આટલો સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ અને કઠણ ગણાય.. આજે જીવનની રોજબરોજનાં ઉપયોગ માટે પાણીની જરૂરીયાત દરેક વ્યક્તિને ડગલેનેપગલે જરૂર ઉભી થાય છે. પાણીની તંગી નિવારવા માટે હવે આજથી જ વોટર મેનેજમેન્ટ પોલીસી ઘડવી જોઇએ અને પાણીનો વપરાશ પણ સંયમપૂર્વક કરવો જોઈએ. સાવરકુંડલાની વાત કરીએ તો હાલ તો જળ વિતરણ વ્યવસ્થા બોર આધારિત છે. ધીમે ધીમે સાવરકુંડલા શહેરનાં મોટાભાગના બોરના તળ ઊંડા ઊતરતા જાય છે. ખાલી ચાર પાંચ દિવસ પણ આ બોર આધારિત પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ તો પણ લોકોમાં દેકારો બોલી જતા જોવા મળે છે.

આમ તો જળનો કરકસરપૂર્વક ઉપયોગ કરતાં આપણે આજ નહીં તો આવતીકાલે પણ શિખવું જ પડશે.આજે લોકો પોતાની ગાડીઓ ધોવા કે અન્ય રીતે પણ પાણીનો બેફામ ઉપયોગ કરતાં જોવા મળે છે ત્યારે એમની પાણીની જરૂરીયાત સંદર્ભે બેદરકારી હોય એવું પ્રતીતિ થાય વગર રહેતું નથી.. હવે માત્ર સાવરકુંડલા જ નહીં પરંતુ દેશના તમામ નાગરિકોએ પાણીની આવશ્યકતા અને તેનું રોજબરોજનાં જીવનમાં મહત્વ એ વિશે ગંભીરતાથી વિચાર કરવો પડશે. કદાચ પાણીના સંયમપૂર્વક ઉપયોગ વિશે પણ સેમિનાર યોજવા પડે એવું પણ બને… એમ તો પાણી થોડું મળે કે એક બે દિવસ જળસંકટ ઘેરૂં બને ત્યારે વ્યક્તિ બેબાકળો થઈ જાય છે અને આ વાત સાવરકુંડલાના નગરજનોએ વાવાઝોડા દરમિયાન સંપૂર્ણ અનુભવેલી છે. છતાં દર્દ મટે એટલે વૈદ વેરી એ ન્યાયે ફરી પાછા જળસ્ત્રોત પુનં વ્યવસ્થિત થાય એટલે પાણીનો બેફામ ઉપયોગ શરૂ..! એક વાત સમજી લેવા જેવી તો છે

જ કે પાણીનો ભંડાર અખૂટ તો નથી જ. એટલે કદાચ આપણા માટે નહીં તો ભવિષ્યમાં આપણાં સંતાનો માટે પણ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરીને જળસ્ત્રોત ઓછો ખૂટે એવી સમજ પણ હવે આપણે જ કેળવવી પડશે. અરે અડધો ગ્લાસ પાણીની જરૂરીયાત હોય તો આખો ગ્લાસ પાણીનો ન ભરવો. વોટર રિસાયક્લિંગ સંદર્ભ પણ હવે અવનવા સંશોધનો કરવા પડશે. અને એ રિસાયક્લિંગ થયેલા પાણીને જ્યાં આવશ્યકતા હોય ત્યાં ઉપયોગ કરવાનું કૌશલ્ય પણ હવે શીખવુ જ પડશે. આજે બેંગલુરુ છે ભવિષ્યમાં અન્ય શહેરો અને ગામડાઓમાં પણ જળસંકટનો સામનો કરી શકે છે. વોટર રિચાર્જ પોલીસી પણ હવે સોલાર સિસ્ટમની માફક દેશમાં અમલમાં મૂકવી પડશે. આવું કરીને પણ આપણે કોઈ અહેસાન નથી કરવાનો કેવળ આપણી ભાવિ પેઢીને જળસમસ્યાનો લઘુતમ સામનો કરવો પડે એ જ ઈચ્છનીય.. સેવ વોટર, વોટર વીલ સેવ યુ. વરસાદી પાણીને પણ હવે દરેક ઘરોમાં જમીનમાં ઉતારતાં શીખવું જ પડશે..એક વસ્તુ મનમાં ગાંઠ વાળીને શીખવી પડશે કે જળ એ જ જીવન છે. આગ લાગે ત્યારે કુવો ખોદવા ન  બેસાય અને સમજ્યા ત્યાંથી સવાર એમ સમજીને જળ અમૃત સમજીને તેનો ખપપૂરતો ઉપયોગ કરેલાનું કૌશલ્ય શીખવું પડશે.

Related Posts