ભાજપમા ગુંડારાજ ચાલે છે તેવા આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીના અખબારી નિવેદન સામે લોક વિચાર મંચના યુવા આગેવાન રમેશ શિંગાળાએ લાલ આખ સાથે આકરા પાણીએ પ્રત્યાધાત આપતા જણાવેલ કે, આપના ઈસુદાનભાઈ ગઢવી નિવેદન થી સસ્તી લોકપ્રિયતા હાસલ કરવા નિકળ્યા છે તેમને ખબર નથી કે તેમની લપસી પડેલી જીપથી સમગ્ર ગુજરાત રાજયનું અપમાન કરી બેઠા છે. શિંગાળાએ જાહેર નિવેદન કરી ને ઈસુદાન ગઢવીને આ નિવેદન બદલ સમગ્ર ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ કારણ કે, આ સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન છે. ભાજપ ગુંડારાજ હોય તો
સત્યાવીસ વર્ષથી શાસન ન ચલાવતુ હોય એટલીતો સમજણ ગઢવીજીને હોવી જોઈએ, ફરી ભાજપ સફળતા મેળવશે જ.
શિંગાળા એ અખબારી નિવેદનમા જણાવેલ છે કે, ભાજપ શિસ્તબધ્ધ અને સંસ્કારી પાર્ટી છે અને તેના કાર્યકર્તાઓ તેની મુડી છે. ભાજપ હંમેશા લોકહિત અને વિકાસને પ્રાધાન્ય આપે છે ગુંડાગીર અમારા સંસ્કાર નથી તેમ રોષભરે જણાવેલ. ભાજપના વિકાસ કાર્યોને નહિં પચાવી શકનાર ઈસુદાન ગઢવીના વાણીવિલાસ સામે માફી ન માંગે તો સમગ્ર રાજયમા આપ સામે આંદોલનની ચીમકી ઉચારી હોવાનું અખબારી યાદીમા શિંગાળા એ જણાવતા અમરેલી
સહિત સમગ્ર રાજયમા ખળભળાટ મચી ચુકયો છે.
Recent Comments