કેજરીવાલે ગુજરાતની ૨ બેઠકો માટે દિલ્હી અને હરિયાણાની બેઠકો પર પોતાનો દાવો છોડ્યો છે. આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીના ભરોસે કેજરીવાલે આ રિસ્ક લીધું છે પણ ચૈતર વસાવાને આંગળી પકડી રાજકારણ શીખવનાર પર ભાજપ હવે દાવ રમી રહી છે. ચૈતર વસાવા ભલે હાલમાં આપના ધારાસભ્ય કહેવાતા પણ તેઓ પહેલાં બીટીપી પાર્ટીમાં છોટુ વસાવા અને મહેશ વસાવાની પાર્ટીમાં હતા. ચૈતરે રાજકારણના ગુણ છોટુ વસાવા પાસેથી શીખ્યા છે. બીટીપીના વધતા દબદબા અને પિતા પુત્ર વચ્ચે ડખામાં ચૈતર વસાવાને અલગ ચીલો ચાતરતાં તેઓ આજે આપના ધારાસભ્ય છે. હવે ભાજપે ભરૂચ બેઠક પર એમનો તોડ કાઢી લીધો છે. ભાજપ આદીવાસી નેતા મહેશ વસાવા માટે લાલ જાજમ પાથરી રહી છે જેમાં મહેશ વસાવાના દાવા પ્રમાણે તેમના પિતાની પણ સહમતિ છે.
હાલમાં ભરૂચ લોકસભા બેઠક પર ૭માંથી ૬ સીટો ભાજપ પાસે છે. જે બેઠક પરથી ચૈતર વસાવા જીત્યા છે એજ બેઠક મહેશ વસાવાનો ગઢ રહી છે. જાે મહેશ વસાવા અને ભાજપ એક થાય તો ચૈતર વસાવાને મોટો ઝટકો આપી શકે તેમ છે. ૨૦૧૭માં આ જ બેઠક પરથી મહેશ વસાવા ધારાસભ્ય બન્યા હતા. આદિવાસી બેલ્ટ પર છોટુ વસાવા અને મહેશ વસાવાનું પ્રભુત્વ છે. આમ ભાજપે ચૈતરને હરાવવા માટે તોડ શોધી લીધો છે. જે આપને ભારે પડી શકે છે. કેજરીવાલે ઈસુદાનના ભરોસે ગુજરાતમાં કોંગ્રેસ સાથે સોદો કર્યો છે.
હવે આ સોદો ભારે પડે તેવી સંભાવના છે. આદિવાસી નેતાની છાપ ધરાવતા છોટુ વસાવાએ મહેશ વસાવાના પિતા છે. જેઓ સાત વખતથી ઝઘડિયાની બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, જેઓ તેમના પિતા તથા સસરા પાસેથી રાજકારણના પાઠ ભણ્યા છે. હવે, તેમના દીકરા મહેશને રાજકીય વારસ માનવામાં આવે છે. ભીલ સમુદાયના વસાવાનું રાજકારણ આદિવાસી અધિકાર, અસ્મિતા, અનુસૂચિ-૫ના અમલીકરણ અને વિકાસ પર કેન્દ્રિત રહ્યું છે. આ માટે તેઓ ભૂતકાળમાં કાૅંગ્રેસ, એમઆઈએમઆઈએમ સાથે ગઠબંધન કરી ચૂક્યા છે. હવે બાપ દીકરો એક સાથે મળીને ભાજપને ટેકો જાહેર કરે તો આદીવાસી બેલ્ટ પર મોટી અસર કરી શકે છે.
૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીની ઍફિડેવિટ પ્રમાણે, છોટુ વસાવા સામે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ૧૭ અને વાલિયા પોલીસ સ્ટેશનમાં ૧૧ ગુના નોંધાયેલા છે. જ્યારે પુત્ર મહેશ વસાવાની ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીની ઍફિડેવિટ પ્રમાણે, તેમની સામે ઝઘડિયા પોલીસ સ્ટેશનના હદવિસ્તારમાં ૧૫ અને વાલિયા પોલીસ સ્ટેશન હદવિસ્તારમાં આઠ ગુના નોંધાયેલા હતા. પિતા-પુત્ર પર હથિયારધારો અને ભારતીય દંડસંહિતાની કલમ ૩૦૨ (હત્યા) અને ૩૦૭ (હત્યાના પ્રયાસ) અને ૧૨૦-બી (ગુનાહિત કાવતરું ઘડવું) જેવી ગંભીર કલમો હેઠળના ગુના પણ નોંધાયેલા છે. પિતા-પુત્રને કોઈ પણ કેસમાં બે વર્ષથી વધુની સજા ન થઈ હોઈ, ‘લોક પ્રતિનિધિ ધારા-૧૯૫૧’ની જાેગવાઈઓ તેમની ઉપર લાગુ નથી પડતી અને તેઓ ચૂંટણી લડવા માટે ગેરલાયક નથી ઠર્યા. હવે મહેશ વસાવા ભાજપમાં જાેડાઈ ચૈતર વસાવા સામે મોરચો માંડે તો નવાઈ નહીં. લોકસભાની ચૂંટણી લઈ ભાજપએ ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય ચોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે.
જેનો માસ્ટર સ્ટોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય. અત્રે જણાવીએ કે, ભરૂચમાં ૭ વિધાનસભામાંથી ૬ ભાજપ પાસે છે. ત્યારે એક ડેડિપાડા બેઠક પર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં ભેળવી દેવાશે. દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના બેલ્ટમાં આદિવાસીઓની એક કરોડ જેવી વસ્તી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. જેથી તમામ રાજકીય પક્ષોએ આદિવાસી મતદારોને આકર્ષવા માટે આ વિસ્તારોમાં પ્રચંડ પ્રચાર કર્યો હતો. દેડિયાપાડાની ગત ચૂંટણી વિશે વાત કરીએ તો ૨૦૧૭માં અહીં ભાજપ કે કોંગ્રેસની મ્ઁના ઉમેદવાર જીત્યા હતા.
બીટીપીના મહેશ વસાવા ગત ટર્મમાં જીત્યા હતા. મહેશભાઈ વસાવાએ ભારતીય જનતા પાર્ટીના મોતીલાલ વસાવાને ૨૧,૭૫૧ મતોથી મ્હાત આપી હતી. ૨૦૧૨માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મોતીલાલ વસાવા જીત્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ડેડિયાપાડ બેઠક પર ૨૦૧૯માં ચતુષ્કોણીય જંગ જામ્યો હતો. આ બેઠક પર ભાજપે હિતેશ વસાવા પર વિશ્વાસ મૂક્યો હતો. જ્યારે કોંગ્રેસે જેરમાબેન વસાવાને ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને અને મ્ઁ (ભારતીય ટ્રાયબલ પાર્ટી)એ બહાદુરસિંહ વસાવાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જાેકે, ચૈતર વસાવા વિજેતા થયા હતા. જેઓ હાલમાં આપના લોકસભાના ઉમેદવાર છે.
Recent Comments