અમરેલી

ભાજપ ના પ્રવક્તા નૂપુર શર્મા અને નવીન જીંદાલ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ પૈગમ્બર સાહેબ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર ભાજપ ના પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ આજરોજ સાવરકુંડલા સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સાવરકુંડલા મામલતદાર સાહેબ મારફત ગુજરાત રાજ્યપાલ સાહેબને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

ભાજપ ના પ્રવક્તા નૂપુર શર્મા અને નવીન જીંદાલ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ પૈગમ્બર સાહેબ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર ભાજપ ના પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ આજરોજ સાવરકુંડલા સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સાવરકુંડલા મામલતદાર સાહેબ મારફત ગુજરાત રાજ્યપાલ સાહેબને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.આવેદનપત્ર માં જણાવેલ છે.કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા તથા નવિન જીંદાલ દ્વારા અમારા પૈગમ્બર હજરત મુહમ્મદ મુસ્તફા(સ.અ. વ) ની ગુસ્તાકી કરવા બદલ અમોની ધાર્મિક લાગણી દુભાયેલ છે  અને ગુસ્તાકી કે વર્ગવિગ્રહ ઉભા કરવાના પ્રયત્નો ને અમો સખ્ત શબ્દોથી વખોડી કાઢીએ છીએ અને આવા બનતા બનાવો ને અટકાવવા સરકાર તરફથી કાર્યવાહી કરી કાયમી નસ્યત મળે તેવી કાર્યવાહી કરવા વિનંતી. અને ભારતીય જનતા પાર્ટી ભારતના લોકોની માફી માંગે અને સરકાર તરફથી એવી કાર્યવાહી કે પગલાં ભરે કે ભવિષ્યમાં કોઈપણ સમાજ કે જ્ઞાતિ કે ધર્મ નું અપમાન કરનાર વ્યક્તિ વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરી કાયમી નસ્યત કરે તે હેતુથી સરકાર દ્વારા તાત્કાલિક અસરથી નૂપુર શર્મા તેમજ અન્ય વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેની ધરપકડ કરી કડક માં કડક સજા મળે તેમ અંતમાં જણાવેલ હતું.

Related Posts