અમરેલી

ભાજપ સરકાર ગોૈમાતા પોષણ યોજનાનો ઠરાવ જ કરતી નથી : પરેશ ધાનાણી

ગુજરાત સરકારે માર્ચ મહિનામાં રૂા.પ૦૦ કરોડની મુખ્યમંત્રી ગોૈમાતા પોષણ યોજના જાહેર કરી હતી જેના છ મહિના વિત્યા પછી પણ અમલ થયો નથી, છ મહિના થયા છંતાય આ યોજના સરકારી ફાઈલોના કાગળ ઉપર ચોટલે છે, કોરોનાકાળ પછી દાનના અભાવ વચ્ચે વરસાદ ખેંચાતા પાંજરાપોળો, ગોૈશાળાઓમાં ઘાસચારો અને નિભાવનું ભંડોળ ખુટી રહયું છે, જેની સામે પહેલાથી જ પાંજરાપોળો,ગોૈશાળા, મહાજનોમાં સખત રોષ છે, આ ભાજપ સરકારે તાત્કાલીક રૂા. પ૦૦ કરોડની ગોૈ માતા પોષણ યોજનાનો ઠરાવ જાહેર કરવાની માંગ ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીએ કરી છે.

Related Posts