અમરેલી

ભાજપ સાંસદ પુરુષોત્તમ રુપાલાએ ગાંધીનગર સિવિલ ખાતે કોરોના વેક્સિન લીધી

આગામી ૧૭મી એપ્રિલે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. આ માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. તેમજ ચૂંટણી જીતવા માટે કવાયત પણ તેજ કરી દેવામાં આવ્યા છે. થોડા સમય પહેલા ગાંધીનગરના રાયસણમાં આવેલા પાર્ટી પ્લોટમાં ભાજપનો ચૂંટણીલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો ખભ્ભે ખેસ પહેરવાનું તો સમજ્યા પરંતુ મોઢા પર માસ્ક પહેરવાનું ન સમજ્યા. સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવાનું સમજ્યા ન હતા.


રૂપાલાએ ફરી આવી ભૂલ ન થાય તે માટે કાર્યકર્તાઓને સલાહ આપી છે. તેમણે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર સમયે સતર્ક રહેવા, ચૂંટણી જીતવા મોટા મોટા કાર્યક્રમો ન કરવા અને સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમો ન તોડવાની સલાહ આપી છે. મોટી સભાઓથી બચવા ડોર ટુ ડોર પ્રચાર પર ભાર મૂકવા પુરુષોત્તમ રૂપાલાએ સૂચન કર્યું હતું. રૂપાલાએ આજે કોરોના વેક્સિન લીધા બાદ આ વાત કહી હતી.

માસ્ક અને સોશલ ડિસ્ટંસના પાલન સાથે કોરોનાને હરાવાનો છે. આ પ્રકારની સૂફીયાણી સલાહ ભાજપના દિગ્ગજ નેતાઓ અવાર-નવાર આપે છે. પરંતુ ભાજપના દિગ્ગજાેની આ સૂફીયાણી સલાહના ભાજપના જ કાર્યકર્તાઓએ થોડા સમય પહેલા ગાંધીનગરમાં ધજાગરા ઉડાવ્યા હતા.

Related Posts