સુપ્રસિદ્ધ કવિશ્રી હરદ્વાર ગોસ્વામી લિખિત ‘ભારતનાં ૭૫ ગીત-સંગીતનાં રત્નો’ પુસ્તકનું વિમોચન કરતા પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું કે ‘આઝાદીના અમૃત મહોત્સવ યોજનાનું આ એક મહત્યનું સંશોધન અને આલેખન કરતું પુસ્તક છે’. ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત તા. ૧-૧-૨૦૨૨ના રોજ આઈ. આઈ. ટી. ઈ. ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના નાયબ સચિવશ્રી એસ. કે. હુદ્દા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈના જાણીતા કલાકાર પ્રતાપ સચદેવ અને ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન હિતેન આનંદપરાએ કર્યું હતું
‘ભારતનાં ૭૫ ગીતસંગીતનાં રત્નો’ પુસ્તકનું વિમોચન

Recent Comments