રાષ્ટ્રીય

ભારતના મોસ્ટ વોન્ટેડ શાહિદ લતીફની પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરાઈશાહિદ લતીફ પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ અને પ્લેન હાઇજેક કેસનો પણ છે આરોપી

ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફને પાકિસ્તાનમાં ઠાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના સિયાલકોટમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી. લતીફ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર હતો. લતીફ સિયાલકોટમાં જૈશ માટે કામ કરતો હતો. તેની જવાબદારી આતંકવાદીઓને તૈયાર કરવાની અને હુમલાની યોજના બનાવવાની હતી.. પઠાણકોટ સિવાય તેણે જમ્મુ અને કાશ્મીરમાં જૈશની ઘણી કાર્યવાહી હાથ ધરી હતી. આજે સવારે તે સિયાલકોટમાં એક મિત્ર સાથે હતો ત્યારે હુમલાખોરોએ તેને ગોળી મારી દીધી હતી.

જૈશનો આ આતંકી ભારતીય એજન્સીઓના રડાર પર હતો. ભારતીય એજન્સીઓ શાહિદ લતીફ પર હુમલાની વિગતો પણ લઈ રહી છે કારણ કે તે ભારતમાં મોસ્ટ વોન્ટેડ હતો… તમને જણાવી દઈએ કે જૈશ આતંકવાદીઓએ વર્ષ ૨૦૧૬માં પઠાણકોટ એરબેઝ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સાત જવાનો શહીદ થયા હતા જ્યારે ઘણા ઘાયલ થયા હતા. આ પછી પઠાણકોટમાં આતંકીઓને ખતમ કરવા માટે લગભગ ત્રણ દિવસ સુધી ઓપરેશન ચાલ્યું. આ ઓપરેશનમાં ભારતીય સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઠાર કર્યા હતા. શાહિદ લતીફની મદદના કારણે જ આ હુમલો કરવામાં આવ્યો હતો.. તપાસમાં સામે આવ્યું છે કે લતીફે તે આતંકીઓને ઘણી મદદ કરી હતી. હથિયારો પણ આપવામાં આવ્યા હતા. શાહિદ લતીફની ૧૯૯૪માં ધરપકડ કરવામાં આવી હતી. ૧૬ વર્ષની જેલવાસ ભોગવ્યા બાદ તેને ૨૦૧૦માં પાકિસ્તાનને સોંપવામાં આવ્યો હતો. શાહિદ ઈન્ડિયન એરલાઈન્સના વિમાનને હાઈજેક કરવાના કેસમાં પણ આરોપી હતો.

Related Posts