રાષ્ટ્રપતિના પ્રવાસને લઈને ભાવનગરમાં પણ તૈયારીઓ થઇ ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સવારે ૧૦ કલાકે ભાવનગર એરપોર્ટ પહોંચ્યા બાદ હેલિકોપ્ટરથી મહુવા જશે. મહુવામાં કથાકાર મોરારીબાપુ સાથે તેઓ મુલાકાત અને ભોજન કરશે. જે બાદ સાંજે પોણા પાંચ કલાકે સુભાષનગર ખાતે ઁસ્ આવાસ યોજના હેઠળ બનેલા ૧૦૮૮ મકાનોનું લોકાર્પણ કરશે. આ આવાસોનું ૬૩ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને તારીખ ૩૦ મી ઓકટોબરે રાષ્ટ્રપતિ દિલ્હી જવા રવાના થશે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે તેઓ ગાંધીનગરમાં કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યારે કે શુક્રવારે ભાવનગરની એક દિવસીય મુલાકાતે છે. તેઓ ગાંધીનગર, અમદાવાદ અને ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. મહામહિમના પ્રવાસને લઈ પોલીસ અને સરકારી તંત્ર દ્વારા તડામાર વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનની અખબારી યાદી મુજબ રાષ્ટ્રપતિ ૨૮ ઓક્ટોબરે ગુજરાતની મુલાકાત લેશે અને ૩૦ ઓક્ટોબર સુધી અહીંયા જ રહેશે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ કોવિંદ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો સાથે સાંજે ‘હાઈ ટી’ કાર્યક્રમમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ કોવિંદ ૨૯ ઓક્ટોબરે ભાવનગર જશે. ત્યાં જિલ્લામાં સમાજના આર્થિક રીતે નબળા વર્ગો (ઈઉજી) માટે આવાસ યોજના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે.
ભારતના રાષ્ટ્રપતિ કોવિંદ ૩ દિવસના ગુજરાત પ્રવાસે

Recent Comments