ટિ્વટરે દેશના નકશા સાથે ચેડાં કરીને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદાખને ભારતથી અલગ દર્શાવી દીધા હતાં. આ મામલે યુપીના બુલંદશહેરમાં ફરિયાદ દાખલ થઇ છે. જેમાં ટિ્વટર ઇન્ડિયાના પ્રમુખ મનીષ મહેશ્વરીનું નામ પણ સામેલ છે. ટિ્વટરે ભારતનો ખોટો નકશો હટાવી લીધો છે. ટિ્વટરે બન્નેને અલગ-અલગ દેશ તરીકે દર્શાવતાં દેશભરમાં ટિ્વટર વિરુદ્ધ રોષ ફાટી નિકળ્યો હતો.
ઉત્તરપ્રદેશના બુલંદશહેર જિલ્લામાં બજરંગ દળના નેતાની ફરિયાદના આધારે ટિ્વટર ઇન્ડિયાના પ્રમુખ મનીષ માહેશ્વરીની વિરુદ્ધમાં વેબસાઈટ પર ભારતનો ખોટો નક્શો દેખાડવા માટે આઈપીસીની કલમ ૫૦૫(૨) અને આઈટી સંશોધન નિયમ ૨૦૦૮ની કલમ ૭૪ના આધારે કેસ કરાયો છે.
નવા આઈટી કાયદાઓનું પાલન કરવામાં અડોડાઈ દાખવનાર માઈક્રો બ્લોગિંગ સાઈટ ટિ્વટરે ભારતના નકશા સાથે ચેડાં કરી પોતાની ભારત વિરોધી માનસિકતાનો વધુ એક પુરાવો આપ્યો હતો. અગાઉ ટિ્વટરે શુક્રવારે ભારતીય આઇટી મંત્રી રવિશંકર પ્રસાદના એકાઉન્ટને એક કલાક માટે બ્લોક કરી દીધું હતું.
અગાઉ ઓક્ટોબર ૨૦૨૦માં ભારતના લદાખના વિસ્તાર ધરાવતાં ક્ષેત્ર લેહને પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના (ઁઇઝ્ર)નો ભાગ ગણાવ્યો હતો. એ વખતે ભારતે ટિ્વટરના સીઇઓ જેક ડોરસીને ચેતવણી આપી હતી.
Recent Comments