ભારતનો મોસ્ટ વોન્ટેડ અલ કાયદાનો આતંકવાદી ઇકરામુલ હક ઉર્ફે અબુ તલહા અને તેની પત્ની ફારિયા આફરીનની બાંગ્લાદેશમાં ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે તેનું નામ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં છે. તેના નામ પર ઓછામાં ઓછા ૧૦ કેસ નોંધાયેલા છે. આતંકવાદી વિશે તપાસ કરવા પર ખબર પડી કે તે ઇકરામુલ હક છે. અને તેની પત્ની પાસે પણ ભારતીય પાસપોર્ટ હતો. પરંતુ અલ કાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (છઊૈંજી)ના નેતા ઈકરામુલ હક ઉર્ફે અબુ તલ્હા અને તેની પત્ની ફારીહા આફરીન અનિકા બાંગ્લાદેશી નાગરિક છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન, જાસૂસોને જાણવા મળ્યું કે આફરીન ઉર્ફે મરિયમ ખાતૂનના ‘પિતા’, પશ્ચિમ બંગાળના કૂચ બિહારના રહેવાસી નન્નુ મિયા ફરાર છે. પોતાને ભારતીય નાગરિક ગણાવતી મરિયમ ખાતુનના પાસપોર્ટમાં તેના પિતાનું નામ નન્નુ મિયાં છે. જાસૂસોને ખબર પડી કે નન્નુને મારિયા નામની કોઈ દીકરી નથી.આ પછી તપાસમાં સામે આવ્યું કે આ મરિયમ પણ બાંગ્લાદેશની નાગરિક છે. થોડા મહિના પહેલા જાસૂસો દ્વારા પકડાયેલા નન્નુની પૂછપરછ કરવામાં આવી હતી અને તે છઊૈંજી ના સ્લીપર સેલનો સભ્ય હોવાનું જાણવા મળ્યું હતું.
ઢાકામાં ધરપકડ કરાયેલા તલહા હવે બાંગ્લાદેશ પોલીસની કસ્ટડીમાં છે. અત્યાર સુધી, રાજ્ય પોલીસને જાણવા મળ્યું છે કે નન્નુ નકલી દસ્તાવેજાેથી બાંગ્લાદેશી આતંકવાદીઓ માટે ભારતીય ઓળખ કાર્ડ બનાવવાનો માસ્ટર માઈન્ડ હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં, જી્હ્લ એ અબ્દુર રકીબ સરકાર ઉર્ફે હબીબુલ્લાહની ઉત્તર ૨૪ પરગણાના અધિકારક્ષેત્રમાંથી ધરપકડ કરી હતી. તે પશ્ચિમ બંગાળમાં છઊૈંજી નો નેતા હતો. તેની પૂછપરછમાં, એસટીએફને અબુ તલહા વિશે ખબર પડી હતી. દેશના તમામ રાજ્યોમાં છઊૈંજી સંસ્થા દ્વારા આધાર કાર્ડનું સંચાલન પણ કરવામાં આવે છે. અને પાસપોર્ટમાં તેનું સરનામું માનંકુરા ગામ, સિંગમારી, કૂચ બિહાર હતું. તેની પત્ની આફરીન ઉર્ફે મરિયમનું સરનામું પણ એક જ છે. મદનકુરા ગામની મુલાકાત લીધા પછી, તપાસકર્તાઓને છઊૈંજી ના સ્લીપર સેલ વિશે ખબર પડી. તપાસમાં જાણવા મળ્યું કે મદનકુરા આમેરનો નન્નુ મિયાં તલહાર ઘણો વિશ્વાસપાત્ર છે. નન્નુ બાંગ્લાદેશથી ભારતમાં આવતા આતંકવાદીઓ માટે આશ્રયની વ્યવસ્થા કરતો હતો. જાેકે, નન્નુની મુખ્ય જવાબદારી બાંગ્લાદેશી નાગરિકો માટે ઓળખ કાર્ડ બનાવવાની હતી, જેમાં તેઓ ભારતીય તરીકે દર્શાવવામાં આવ્યા હતા. નન્નુ તેના માટે બનાવટી દસ્તાવેજાે એકઠા કરતો હતો. કૂચબિહારના વિવિધ ગામોના સરનામે આતંકવાદીઓના નામ પર આધાર કાર્ડ બનાવવામાં આવ્યા હતા.
જાસૂસોએ શોધી કાઢ્યું છે કે નન્નુ બાંગ્લાદેશી નાગરિકોના આધાર કાર્ડ અને પાસપોર્ટ બનાવટમાં પણ સામેલ છે, અકીના ઘણા સભ્યો આ રાજ્ય, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, આસામ અને ત્રિપુરામાં પકડાયા હતા. તૃણમૂલ કોંગ્રેસ ભાજપ અને બીએસએફ પર આકરા પ્રહારો કરી રહી છે કે કેવી રીતે આતંકવાદીઓ દેશમાં પ્રવેશ કરે છે. રાજ્યસભાના ્સ્ઝ્ર સાંસદ ડૉ. શાંતનુ સેને રાજ્યના કેન્દ્રીય ગૃહ પ્રધાન પર પ્રહાર કરતા કહ્યું, “કૂચ બિહારના સાંસદ નિસિત પ્રામાણિક અને મ્જીહ્લ સરહદની રક્ષા કરી રહ્યા છે. તો આ આતંકવાદીઓને દેશની અંદર કેવી રીતે પ્રવેશ મળ્યો, કેન્દ્રએ જવાબ આપવો જાેઈએ. બીજી તરફ ભાજપે તૃણમૂલ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે મમતા જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી પશ્ચિમ બંગાળ આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રય બની ગયું છે. દરેક આતંકવાદી ગતિવિધિમાં પશ્ચિમ બંગાળનું જાેડાણ હોય છે. અને આ આતંકવાદી પૈસાના બદલામાં ટીએમસી નેતાઓ પાસેથી સ્થાનિક ઓળખ કાર્ડ મેળવી રહ્યો છે. મમતા દેશને વેચવા માટે કંઈ પણ કરી શકે છે.


















Recent Comments