ભાજપની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના હોદ્દેદારો પ્રતિનિધિઓ કાર્યકર્તાઓ અને નેતાઓ સતત જોડાઈ રહ્યા છે ત્યારે આગામી ૨૦૨૨ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બીજેપીમાં જોડાવવાનો સીલસીલો વધી રહ્યો છે. બીજેપી ની અંદર આપ પાર્ટીના કાર્યકર્તાઓ અગાઉ મોટી સંખ્યામાં જોડાઇ ચૂક્યા છે ત્યારે કોંગ્રેસ માંથી પણ જયરાજસિંહ પરમાર દિનેશ શર્મા સહિતના મોટા કોંગ્રેસી નેતા પ્રવક્તા જોડાઇ ચૂક્યા છે. ત્યારે આજે ફરી ભારતીય જનતા પાર્ટીની અંદર રાજકીય અને સામાજિક આગેવાનો કમલમ ખાતે બપોરે 1:00 કેસરીયો ધારણ કરશે. પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ ની ઉપસ્થિતિમાં તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે આ વખતે વિધાનસભાની ચૂંટણીઓ જેમાં ત્રિપાંખિયા જંગનાં પહેલીવાર ગુજરાતની અંદર સક્રિય જોવા મળી શકે છે કેમ કે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસની કાંટે કી ટક્કર આમને-સામને જોવા મળતી હતી. ત્યારે વિધાનસભાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીએ પણ આ વખતે ઝંપલાવી છે ત્યારે આ ચૂંટણીનું અલગ પરિણામ પણ અલગ હોઈ શકે કેમ પંજાબ ની અંદર જે રીતના પરિણામો આવ્યા હતા તે સૌ કોઈને ચોંકાવનારા હતા ત્યારે આપ પાર્ટીની નજર ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓ પર છે.
ભારતીય જનતા પાર્ટીની અંદર રાજકીય અને સામાજિક આગેવાનો કમલમ ખાતે બપોરે 1:00 કેસરીયો ધારણ કરશે

Recent Comments