ભારતીય નૌસેના એક અપડેટેડ સ્વદેશીકરણ રોડમેપનું અનાવરણ કરવા જઈ રહ્યું છે. આ સંદર્ભે, આવતા અઠવાડિયે બે દિવસીય મેગા કોન્ક્લેવનું આયોજન કરવામાં આવશે, જેમાં અંડરવોટર ડ્રોન, અગ્નિશામક પ્રણાલી અને રોબોટિક્સ સંબંધિત સ્થાનિક ટેક્નોલોજીઓનું પ્રદર્શન કરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે ૪ અને ૫ ઓક્ટોબરના રોજ કોન્કલેવનું આયોજન કરવામાં આવશે. આ વાર્ષિક ‘સ્વાવલંબન’ સેમિનારની બીજી આવૃત્તિમાં રોડમેપ બહાર પાડવામાં આવશે. જણાવવામાં આવ્યું છે કે આ મેગા કોન્ક્લેવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે.
નૌસેનાના નાયબ વડા વાઈસ એડમિરલ સંજય જસજીત સિંહે જણાવ્યું હતું કે ભારતીય નૌસેના ગયા વર્ષે સ્વાવલંબન સેમિનારમાં ૭૫ ટેક્નોલોજી વિકસાવવાનો સંકલ્પ કર્યો હતો. જે તેણે હાંસલ કરી છે. આ પ્રતિબદ્ધતાને સાકાર કરવા માટે નૌસેના નોંધપાત્ર સમય અને પ્રયત્નો આપ્યા છે. તેમનું કહેવું છે કે સ્વાવલંબન પહેલને ઘણી લોકપ્રિયતા મળી છે અને તે સતત વેગ પકડી રહી છે. તેઓ એ કહેતા ખુશ છે કે ગયા વર્ષે આપેલા વચનો પૂરા થયા છે. આ સિવાય નેવી કેટલીક બાબતોમાં તેનાથી આગળ નીકળી ગઈ છે. સ્વાવલંબન સેમિનાર દરમિયાન આ ટેક્નોલોજીઓનું પ્રદર્શન કરવામાં આવશે.
આ નવા રોડમેપને ‘સ્વાવલંબન ૨.૦’ નામ આપવામાં આવ્યું છે. વાઈસ એડમિરલ સંજય જસજીત સિંહ કહે છે કે હવે ઉદ્યોગ સામે નવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. વાઈસ એડમિરલ કહે છે કે નેવી ‘સ્પ્રીન્ટ’ પહેલ હેઠળ નવા ઉત્પાદનોના વિકાસને પ્રોત્સાહિત કરી રહી છે જે ગયા વર્ષે જુલાઈમાં નેવલ ઈનોવેશન એન્ડ ઈન્ડિજનાઈઝેશન ઓર્ગેનાઈઝેશન (દ્ગૈંૈર્ંં) સેમિનારમાં શરૂ કરવામાં આવી હતી. આ ઉત્પાદનોને સંરક્ષણ મંત્રાલયની ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ સ્કીમ અને ભારતીય નૌસેનાના ટેક્નોલોજી ડેવલપમેન્ટ એક્સિલરેશન સેલ હેઠળ વિકસાવવામાં આવી રહી છે. સ્વાવલંબન એ દ્ગૈંૈર્ંં નો વાર્ષિક સેમિનાર છે. આગામી આવૃત્તિ શ્રેણીની બીજી આવૃત્તિ હશે. સેમિનારનો ઉદ્દેશ્ય સંરક્ષણ ક્ષેત્રમાં આર્ત્મનિભરતા હાંસલ કરવા માટે ભારતીય ઉદ્યોગ અને શિક્ષણવિદોને સામેલ કરવાનો છે.
Recent Comments