ભાવનગરની મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી તેમજ શ્રી ગોપીનાથજી મહિલા કોલેજ-સિહોરનાં સંયુક્ત ઉપક્રમે તા. ૧૫ જુલાઈને શુક્રવારના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યાથી રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
આ ભરતીમેળામાં ધોરણ-૧૦, ધોરણ-૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા મિકેનિક વિવિધ લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારોને નોકરી ઇન્ટરવ્યૂ માટે શૈક્ષણિક લાયકતોના પ્રમાણપત્રો તથા બાયોડેટા / અનુભવ હોય તો તે અંગેના પ્રમાણપત્રો સાથે સ્વખર્ચે રૂબરૂમાં શ્રી ગોપીનાથજી મહિલા કોલેજ-સિહોર ખાતે ઉપસ્થિત રહેવા અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.
Recent Comments