ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી ડો. નીમાબેન આચાર્યે આજે ભાવનગરના જાણીતા રાજપરાના ખોડિયાર મંદિરે આજે બપોરે શ્રધ્ધાપૂર્વક દર્શન- પૂજા કર્યા હતાં.
ભાવનગર જિલ્લાના એક દિવસીય પ્રવાસે પધારેલાં વિધાનસભાના અધ્યક્ષશ્રીએ રાજપરા મંદિરે દર્શન કર્યા બાદ મહુવા ખાતે જવાં રવાના થયાં હતાં. જ્યાં તેઓ મોરારી બાપુ સાથે સત્સંગ કરી આશિર્વાદ લેશે.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, શિહોર તાલુકા પ્રમુખશ્રીશ્રી ગેમાભાઇ ડાંગર, ભા.જ.પ. પ્રમુખશ્રી મુકેશભાઇ લંગાળિયા, શિહોર મામલતદારશ્રી ચૌધરી તથા જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments