ભાવનગરના થળસર ગામે આવેલ બૂટ ભવાની માતાજીના મંદિર ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમનો ૮૪ મહિલા ખેડૂતોએ લાભ લીધો હતો. આ તાલીમમાં આત્માના પ્રોજેકટ ડાયરેકટર શ્રી જે. એન. પરમાર દ્વારા પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ, તેનુ મહત્વ, ખેતી, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય જાળવણી માટે પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે આત્માના શ્રી દિલીપભાઇ કુવાડીયા દ્વારા આત્મા પ્રોજેક્ટની વિવિધ કિસાન કલ્યાણની પ્રવૃતિઓ અને પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાવનગર તાલુકાના પ્રાકૃતિક કૃષિના સંયોજક શ્રી ગોવિંદભાઇ દ્વારા પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક પધ્ધતિ, પાક મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થાપન અંગે સુંદર માહિતી આપી હતી. નિવૃત ખેતી મદદનીશ શ્રી અજીતસિંહ ગોહિલ દ્વારા ઉપસ્થિત રહેલા તમામ મહિલા ખેડૂતોને તાલીમની ઉપયોગીતા અને તેના લાભ વિશે માહિતી આપવામાં આવી હતી.
ભાવનગરના થળસર ગામે મહિલા ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઇ

Recent Comments