લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.૮૫ વર્ષથી વધુની વયના વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોને મતદાન કરવામાં સુગમતા રહે તે માટે ૨૪થી ૨૭ મી એપ્રિલ સુધી તેઓ ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરીને લોકશાહીના મહાપર્વમા સહભાગી બનશે. જેના ભાગરૂપે ભાવનગર સંસદીય મત વિસ્તારના વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારોએ ઘરે બેઠા મતદાન કરી અન્ય મતદારોને પણ અચૂક મતદાન કરવાની અપીલ કરી હતી. અત્રે નોંધનીય છે કે, ભારતીય ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર. એન. ચૌધરીની દેખરેખ હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સંપૂર્ણ ગુપ્તતા જળવાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
ભાવનગરના વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોએ ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના મહાપર્વમા સહભાગી થવા અપીલ કરી

Recent Comments